૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
“ઘટમાળ” શબ્દ પ્રયોગ વાંચી વિચાર્યું કે આ શબ્દનો ઊપયોગ તો આપણે કરીએ છીએ પણ તેમાં થોડું ઊંડું ઉતરું. ઊંડાણમાં ઉતરતા જે સમજાયું તે એ કે,”આ શબ્દ બે શબ્દો “ઘટ” અને “માળ”થી બનેલ છે, ઘટ શબ્દના ત્રણ અર્થ ઘટના, ઘડો અને શરીર.
આ જીવનને જોઈએ તો સમજાય કે ઘટનાઓની માળા કે જોડ છે. દરેકના જીવનમાં જુદી જુદી ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સુખદ તો કેટ્લી દુખદ. આ તમામ ઘટનાઓ આપણા માટે શિખવાના પાઠ છે. આ પાઠ આપણે શિખી જીવનને મધુર રસથી, પ્રેમથી ભરીએ છીએ કે કાદવ કિચડ ભરી ઘડો ગંદો કરીએ છીએ, તેની ઉપરવાળૉ પરીક્ષા લે છે. એક દિવસ જીવન સમાપ્ત.
ઘડો કાદવ કિચડથી ભરીએ અને પરીક્ષામા નપાસ થઈએ ત્તો, વળી નવું શરીર, નવું ઘટ (ઘડો) કુંભાર ઘડે અને આપણને આપે. વળી એક તક, જીવનની. પરમાત્મા વળી સુચના આપે કે, “જા, ઘડો માંજી સ્વચ્છ કરજે અને સ્વચ્છ પાણી ભરજે, પ્રેમ ભરજે. અને પાછા આપણને નવા શરીર (ઘટ) સાથે મોકલે. આમ જેટ્લીવાર નપાસ થઈએ નવું શરીર ધારણ કરતા રહીએ. અને સર્જાય ઘટ(ઘડા)માળ. આ ઘટમાળ ત્યારે જ ટુટે, જ્યારે જીવન સાચા અર્થમાં જીવી જાણીએ અને પરમાત્માએ જે માટે મોકલેલ છે, તે કાર્ય કુશળતા/વિવેક પૂર્વક પુરું કરીએ.”
નોંધઃ આ બધા મારી સમજ પ્રમાણેના અર્થ છે. ડિક્શનરી કે અન્યની સમજથી જુદો અર્થ હોઈ શકે છે.
LikeLiked by 3 people
આપનો પ્રતિભાવ વાંચી મારું એક પ્રિય ભજન યાદ આવ્યું-મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી-તેમાં ય ખાસ કરીને યમના તેડા ન આવે મને મારો નાથ તેડાવે-હું કોઈ માર્ગી નથી પરંતુ અમુક ભજનનાં શબ્દો સાદા-સીધા પરંતુ સચોટ હોય તો ખૂબ ગમે. આભાર શરદભાઈ
LikeLiked by 1 person
ઘટમાળનો સુંદર અર્થ વિસ્તારપૂર્વક સમજાવ્યો તેનો આનંદ..દરેક બાબતમાં વિવેક, જીવનમાં કેટલો જરૂરી છે.ખૂબ સાચી વાત કરી શરદભાઈ.
LikeLiked by 1 person
જીવન ઉર્જાની ગતિ પૂર્વ તરફ એટલે ભાવિ કલ્પનાઓ તરફ વહે તે બાળપણ/યુવાનીની નિશાની છે. જીવન ઉર્જા પશ્ચિમ તરફ વહે એટલેકે સ્મૃતિઓ તરફ તે આધેડ/વૃધ્ધાવસ્થાની નિશાની છે. ઉર્જાનુ આ વહન હોરિઝેન્ટલ હોય.આપણે ત્યાં એને ઘાંચીનો બળદ કહેતાં. પરંતુ જ્યારે જીવન ઉર્જા વર્તમાન ક્ષણમાં રહેતી થાય તે પરિપક્વતાની નિશાની છે અને વર્ટિકલ ગ્રોથ થાય છે.જીવન ઊર્જા ઉદ્વગામી બને છે.
LikeLiked by 2 people
ખૂબ સરસ રીતે સમજાવ્યું શરદભાઈ, ધન્યવાદ.
LikeLiked by 1 person
(૧) માલિકીભાવ આવ્યો એટલે તરત જ એ સુખ કે દુઃખદાયક બની જાય… સાચી વાત છે.
(૨) લખવા માટે અંદરથી એક ધક્કો લાગે’ વાળી વાત ઘણીવાર અનુભવી છે.
(૩) પત્રો લખવાનો અને એ પત્રો મેળવવાનો આનંદ’ વાળી વાત પણ એટલી જ સાચી છે. અમેરિકા આવ્યો ત્યારે હું મારા અનુભવો મિત્રોને લખી લખીને જણાવતો. જ્યાં નોકરી કરતો ત્યાંના ઝેરોક્ષ મશીનનો ખુબ દુરૂપયોગ કરેલો. મારા મિત્રો એ પત્રો સાચવી રાખતા. આજે અમદાવાદ જઉં છું ત્યારે અ બધા ફરિયાદ કરે છે કે હવે કેમ પત્રો નથી લખતો ? હું એમને ઇન્ટરનેટના માધ્યમની વાત કરૂ છું ત્યારે એ લોકો પોતે ઇન્ટરનેટ નથી વાપરતા એમ કહે છે. અને મને કાગળ પર પત્રો લખવાની આદત છૂટી ગઈ છે. ઍટલે પત્રવ્યવહારનો આનંદ ઝુંટવાઇ ગયો છે.
(૪) મને શરદ શાહ ના પ્રતિભાવોમાં રસ પડે છે. એમનો પરિચય મોકલશો ? આ વખતે અમદાવાદ જઈશ ત્યારે મારે ત્રણ શાહ ને અચુક મળવું છે. રોહિત શાહ, સૌરભ શાહ અને આ શરદ શાહ ( જો એ અમદાવાદના હોય તો )
નવીન બેન્કર
૨૯ ઓક્ટોબર ૨૦૧૬
LikeLiked by 2 people
પત્રોના પ્રતિભાવો તો ગમેજ પરંતુ સંવેદનાની અનુભૂતિ પણ આપની પાસે જાણવા મળે ત્યારે વિશેષ આનંદ થાય. આભાર, નવીનભાઈ
LikeLiked by 1 person
પ્રિય નવિનભાઈ;
પ્રેમ.
આપને અને આપના પરિવારને નવા વર્ષની અનેક શુભેચ્છાઓ. મારી કોઈ વાત આપના હૃદયને સ્પર્શે તો સમજવું કે એ કોઈ પરમશક્તિ તરફથી આવેલ છે. અને જ્યારે કોઈ વાત ખુંચે તો સમજવું કે મારો અહમ ક્યાંક આડો આવી ગયો હશે અને તે બદલ મને ક્ષમા કરશો.
અસલી પરિચય તો સ્વનો થાય તે જ જીવનનુ લક્ષ્ય છે અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈપણ જીવને શાંતિ કે સમાધાન નથી મળતું, આ નિયમ છે.
હું બસ આવી સ્વ શોધનો યાત્રી છું. જીવનના કેટલાંક રહસ્યો સમજાયા છે અને પરિણામે જીવનને એક દિશા મળી છે અને અનેક પીડાઓમાંથી મુક્તિ પણ. એટલે ક્યારેક મિત્રોને આવી પીડાઓમાં જોઉં ત્યારે મારા અનુભવે જે વાત સમજાઈ હોય તે શેર કરું છું. કદાચ કોઈને સમજાઈ જાય અને નાહક દુખી ન થાય. બસ આવા પ્રયોજનને કારણે જ લખુ છું.
હું અમદાવાદનો જ રહેવાસી છું. પરંતુ હાલ મારા ગુરુ સ્વામી બ્રહ્મવેદાંતજી નો આશ્રમ જે માધવપુર (ઘેડ) સ્થિત છે ત્યાં રહુ છું, અને તેમના સાનિધ્યમાં અને માર્ગદર્શનમાં જીવન જીવવાની કોશિશ કરું છું. મારો ફોન નંબર છે. ૯૮૨૫૮૪૭.
આપ જ્યારે ભારત્ પધારો અને ફોનથી સંપર્ક કરવા ઈચ્છો તો મારો સંપર્ક કરી શકો છો. ભિતર કોઈ પ્યાસ હોય તો મારા ગુરુને મળવાનુ ગોઠવશો. હું તો નકલી સિક્કો છું અને બહુ સંભાવના છે કે ભટકાવી દઊં. મારા ગુરુ અસલી સિક્કો છે અને જેની શોધ છે તે મેળવવામાં સહાયક થઈ શકશે.
બાકી મારો વહેવારિક પરિચય જોઈતો હોય તો હું એક રિટાયર્ડ ઈન્ડસ્ટ્રિયલ કનસલટન્ટ્ છું. સિનિયર કન્સલટન્ટની પોસ્ટપરથી ૨૦૧૦માં રીટાયર્ડ થયો છું. શરીરની ઉમ્મર ૬૫વર્ષ છે. મારકેટિંગ અને મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ૧૯૭૫માં કરેલ. ૧૯૭૮માં ઓશો (રજનીશ)એ સન્યાસ આપેલ. ૧૯૭૮ ડિસે.માં લગ્ન. પત્ની,બે દિકરાઓ,બે વહુઓ, એક પૌત્ર બે પૌત્રીઓનો પરિવાર છે, એક દિકરો ચાર્ટડ એકાઊન્ટન્ટ્ એક દિકરો એમ.બી.એ. છે.
બીજું કાંઈ જાણવુ હોય તો જણાવશો.
શેષ શુભ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
LikeLiked by 2 people
આજનો પત્ર તમને ગમ્યો અને તરત લાંબો પ્રતિભાવ લખવાનું મન થયું તેનો આનંદ. શરદભાઈનો પરિચય અને સંપર્ક જરૂર મળશે.
LikeLiked by 1 person
નવીનભાઈએ કાલે ધન ધોઈને એનું આચમન લીધુ એનો આ ચમત્કાર ગણી શકાય? એમની આજની એક અનોખી ટપાલ પણ આની ચાડી ખાશે!
એક પ્રશ્ર્ન દેવિકાબેનને…મેં મારી જાતે વાંચનના અભ્યાસથી ‘અછંદાસ’ શબ્દને સુધારીને ‘અછાંદસ’ લખતો થયો અને આજે નયનાબેને ‘અછંદાસ’ શબ્દ વાપર્યો એટલે એની ચોખવટ આ નવા વર્ષે કરવી સારીને!
બાકી આજની વાત સમજવા જેવી જરૂર છે! પણ, આજના આ દિવાળી ને નવા વર્ષના આનંદિત દિવસોમાં મગજ પાસે મગજમારીવારું કામ કરાવવાનું મન થતું નથી! માફી ચાહું છું! તમને બંનેને અને તમારા સર્વે વાંચકોને આ પર્વોની શુભેચ્છા પાઠવી લૌ છું.
LikeLiked by 2 people
નવા વર્ષે જોડણીની ભૂલ માટે કાન પકડી લઉંને? ખામીઓ જાણવા મળે તો જ સુધારવાનો અવકાશ રહે. નવા વર્ષના અઠવાડિયે મગજને આરામ આપવાની વાત વિચારવા જેવી તો ખરી!
LikeLiked by 1 person
ચિમનભાઇ,
તમારા પ્રશ્નના જવાબમાં જુલાઈ ૨૮’ ૧૬ના રો આપેલ મારો પ્રતિભાવ ફરીથી અહીં ટાંકું છું.
‘‘અછાંદસ” સાચો શબ્દ છે.ભાષાના ભમરડામાં ભલે ભમો, પણ ચિમનભાઈ,ભાવાર્થની ખરી દોરી ખાસ પકડજો. ..પછી ભમરડો બરાબર ફરશે જ!!!
દેવિકા
LikeLiked by 1 person