સ્વ.આતાજીને શબ્દાંજલિ

ઉંઘમાં ઉંઘી જવા જેવું સુખદ મૃત્યુ બીજું કોઈ નથી. પૂ.આતાજીને વર્યુ તે તેમના જીવનની ધન્યતા અને સફળતા. બ્લોગ જગતથી તેમની અક્ષરઓળખાણ. શેર શાયરીના શોખીન તેથી અવારનવાર મારી કવિતાઓને પોરસાવતા. મારી પત્રશ્રેણીમાં પણ આવતા થયાં. જ્યારે જ્યારે તેમના બે શબ્દો મળે ત્યારે જાણે પ્રતિભાવ નહિ પણ આશીર્વાદ આપી રહ્યા હોય એમ લાગે.
ગઈકાલે રાત્રે તેમની વિદાય પછીના એક કલાકમાં મળેલા સમાચાર સૌને માટે આંચકા સમા બની રહ્યા. પણ આતાજીનો જીવ તો શાંતિપૂર્વક શિવમાં ભળી ગયો વિચારે તેમના માટે મારા તરફથી સૌની સાથે  આજે માત્ર મૌન પ્રાર્થના.

presentation1-2

1 thoughts on “સ્વ.આતાજીને શબ્દાંજલિ

Leave a comment