૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
સુંદર
LikeLiked by 1 person
દેવિકાબેન અને નયનાબેન,
આપ બંનેના પત્રોમાં દરેક શબ્દ રંગબેરંગી પુષ્પો સમાન સજાવીને આલેખન કરીને,વાંચકોને વિવિધ વિષયોનુ રસપાન કરાવ્યુ. હવે નવા વિષય માટે અપેક્ષા.
નવા વર્ષે કોઈ નવા વિષય માટે અનેક અનેક શુભકામના.
LikeLiked by 1 person
હેમાબેન,તમે પણ કોઈ સૂચન જરૂર કરશો અને હાં, નીનાનો છેલ્લો પત્ર હશે આવતા શનિવારે..વાંચવાનું ચૂકતા નહિ.
LikeLike
જીંદગીની વાત કહેતી પંક્તિઓ ૧૦૦ % સાચી છે.
LikeLiked by 1 person
બિલકુલ,દાવડા સાહેબ..જીંદગીનો અંતિમ પડાવ,સાચો મુકામ એ જ છે ને?
LikeLike
આપણી શબ્દ યાત્રા વણથંભી રહે તેવી પ્રાર્થના …મેરી ક્રિસમસ
LikeLiked by 1 person
પ્રતિભાવ બદલ આભાર,રેખા…
LikeLike
Happy to read your letter series from beginning to this date. It has taught many lessons on how to keep smiling all through . I wish May GOD give more inspiration to continue to keep writing and posting such humorous and at the same time thought provoking and inspirational letters and articles. MERRY XMAS and Happy and joyous New year 2017.
LikeLiked by 1 person
Vasantbhai, actual last letter will be on next Saturday by Nina. so do visit this blog and read as always..
I appreciate your input and continuous reading on each Saturday. In fact,readers are always a part of strength for writers.Thanks.
LikeLike
ખરેખર એક વર્ષના વહાણા વહી ગયા ?
જો કે તમારા અને નીનાબેનના પત્રો એટલા રસાળ અને વાચાળ હતા કે એમાં રસ તરબોળ થવાની, એને માણવાની મઝા આવી અને જેમાં મઝા આવે એમાં સમય ક્યાં વહી જાય એની ખબર સુધ્ધા ના રહે. એક મેકની સાથે સાંકળી લેતા અલગ અલગ વિષયો અને એની સાથે વણાયેલી લાગણીઓની તરલતાને લીધે હ્રદયને સીધા જ સ્પર્શતા હતા તો ક્યારેક એ વાતોમાં રહેલા તાર્કિક તથ્યના લીધે મન પણ એને સ્વીકારી જ લેતું હતું.
આમ તો એમ કહેવાય છે કે રસના ચટકા સારા , હોજ નહીં પણ બંનેના હૈયાના હોજમાંથી ખુલ્લા હાથે ઠલવાયેલી ભીની ભીની પળો , વિચારો, ચિંતન અને મંથેન સાથે એક સરસ મઝાનો સેતુ બંધાતો ગયો.
સાચે જ ખુબ માણી આ તમારી પત્રશ્રેણી………
નાતાલ અને નવા વર્ષ માટે ખુબ ખુબ શુભેચ્છા.
LikeLiked by 1 person
રાજુલબેન, ખરેખર એક વર્ષ વીતી ગયું. કેલેન્ડરના પાના ફરતા ગયાં અને એ સાથે કલમ પણ ચાલતી રહી. તમારા જેવા ઉમદા વાચકોએ કેટલો મોટો ફાળો આપ્યો? સૌને માટે જેટલા શબ્દો લખું તેટલા ઓછા જ લાગે. નીનાનો પ્રત્યુત્તર મળશે આવતા શનિવારે અને તે જ ખરેખર તો છેલ્લો પત્ર ગણાશે..જરૂર વાંચશો અને પ્રતિભાવ પાઠવશો.
LikeLike
પ્રિય દેવિકા બેન ધ્રુવ
તમે ઉર્દુ શેર શાયરી પણ લખવા મનદી ગયાં મને બહુજ ગમ્યું . કેમકે મને શેર શાયરી ગમે છે . તમારો આભાર
LikeLiked by 1 person
saras, varas sars gayu, maja aavi. nava varsh mate shubhechchhaa
LikeLiked by 1 person
પત્રો દ્વારા અનેક રંગના વિષયો પર વિચારોના રંગપટને વિસ્તારવાનો આ પ્રયોગ ઘણો રસપ્રદ રહ્યો.
૫૨ પત્રો, એટલે કે એક વર્ષ સુધી આ યાત્રામાં વાચક તરીકે (પરોક્ષ) સાથ આપતા રહેવા બાદ છેલ્લેથી પહેલા પત્રમાં એક પ્રતિભાવ મઊકવાની લાલચ નથી રોકી શકાઈ.
જેમ કોઈ વ્યક્તિ ક્યારેક જીવનમાં આવી જાય અને પછી વિલય થઈ જાય તે પછી હવે ક્યારે મળાશે એવી ભાવના કયા સંજોગોમાં પ્રજવળ્યા કરે ? કે કયા સંજોગોમાં એવો ભાવ પેઅદા થીને વિસરી જાય? કે પછી જેની સાથે લાંબો સાથ રહ્યો છે તેની સાથેનો સંગાથ છૂટી જાય ત્યારે હવે એ સંગાથની યાદમાં ઝૂરવા ઉપરાંત ફરૉ મળવાની ભાવના થાય?
પહેલા પ્રકારના કિસ્સામાં સંબંધમાં ખટાશ આવી જવા કે બીજા કિસ્સામાં મૃત્યુ જેવા હાથ બહારની પરિસ્થિતિઓની વાત નથી મનમાં આવતી.આ સવાલો મનમાં કેમ આવ્યા તે પણ નથી સમજાતું !જવાબ તો શું જ હોય એ તો વિચાર્યું પણ નથી.બસ આ વિચાર મનમાં આવ્યો અને આટલું લખાઈ ગયું.
સમજાય છે કે અધૂરૂં, અસંબંધ્ધ છે,અણ બસ, વિચાર મનમાં ઝબકી ગયો અને લખાઈ ગયું.
છેલ્લા પત્રનો ઈંતજાર અને તેમાં શૂ કહેવાયું હશે તેની ઉત્સુકતા તો છે જ.
LikeLiked by 1 person
વાહ, અશોકભાઈ….તમારા આજ અહીં પગલાં થયાં જોઈ આનંદ,આનંદ. તમે લખો છો તેમ સવાલો કેમ આવ્યા,ક્યાંથી આવ્યા એ સવાલો મને પણ થયાં જ. છતાં ચાલો, વિચારોના વૃંદાવનમાં કંઈક તો અર્થસભર હશે જ અથવા ફરીથી સ્પષ્ટપણે ઝબૂકશે એવી આશા રાખીશું. તમારી જેમ અમે પણ રાહ જોઈશું. અત્યારે તો આભાર સાથે આટલું જ..
LikeLike
“મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.” Starting from Dear Nina to દેવીની સ્નેહ-યાદ – reading of this letter has made my day. Thank you Ms. Devikaben.
LikeLiked by 1 person
નીતિનભાઈ, પ્રતિભાવ બદલ આનંદ સહ આભાર.
LikeLike
દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો ન બાંધવા દેવાય.
આપણા સુખ અને આપણા દુખ બધા સાપેક્ષ છે. એકનુ દુખ ક્યારેક બીજાનુ સુખ બની જાય અને એકનુ સુખ ક્યારે બીજાનુ દુખ બની જાય. એક જ વાત એકનુ સુખ હોય અને બીજાને માટે તે દુખજનક હોય. “ખ” નો અર્થ છે આકાશ. (ખગ= ખ + ગ= આકાશમાં ગતિ કરનાર). દુ + ખ= જેનુ ભિતરનુ આકાશ દુષિત થયું અને સુ + ખ= જેનુ ભિતરનુ આકાશ શુભ બન્યું. સુખ અને દુખનો આધાર ભિતરના આકાશ સાથે સંબંધીત વધુ છે, બહારની પરિસ્થિતી સાથે ઓછો. અને જીવનનુ સત્ય એ છે કે પરિસ્થિતીઓ બદલવી લગભગ સંભવ નથી હોતી, પરંતુ મનોસ્થિતી બદલવી તે આપણા હાથમાં છે. અને એ જ સુખની ચાવી છે.
બીજું અહીં આપે બાવન પત્તાની કેટની વાત કરેલ છે. આ બાવન પત્તાની કેટ કોઈ સામાન્ય નથી. તેમાં આખું ભિતરનુ (અધ્યાત્મનુ) વિજ્ઞાન છુપાયું છે. એના રહસ્યો ગુર્જીએફે ખુલ્લા કર્યા છે. જગત આપણને જેટલું દેખાય છે અને સમજાય છે, તે આપણી ક્ષમતા મુજબ. બાકી અજબ ગજબના રહસ્યોથી ભરેલ છે.આપણા ઋષિમુનિઓ આવા અનેક રહસ્યો આપણા શાસ્ત્રોમાં મુકી ગયા છે. એ રહસ્યો કોઈ નાદાન હાથમા ન આવે તેથી ખુબ કાળજી પૂર્વકની સાંકેતીક ભાષામાં છે. ખેર! આ બધી આડવાત થઈ ગઈ.
પત્ર સંબધે કહું તો ખુબ સુંદર અને સાહિત્યની નજરે ઊંચી ભાષામાં લખાયેલો છે. મારી સમજ છે પત્ર લખીએ ત્યારે જેટલું હૃદય અને ભાવ કલમ સાથે જોડાય તેટલો પત્ર બીજાના હૃદય્ને ઝકૃત કરે છે. બહુ ઊંચા ઊંચા શબ્દો, પ્રાસ, વિશેષણો, અલંકારોની જરુર નથી હોતી. કબીરને ઊમાશંકર જોષી, ભાષામાં કદાચ નપાસ કરી નાખે. સીધા સાદા શબ્દો લખાયેલી કબીરવાણીનુ કદાચ કોઈ ભાષાવીદ બહુમુલ્ય ન પણ આંકે. પણ ઉમાશંકર જોષીના કાવ્યો કરતાં કબીર આપણા હૃદયને વધુ સ્પર્શી જાય.
આખરમાં તમારું મુક્તક થોડા ફેરફાર સાથે.. ज़िन्दगी में ना ज़ाने कौन सी बात “आख़री” होगी,
ना ज़ाने कौन सी रात “आख़री” होगी..
प्रेमसे मिलते, प्रेमको एक दुसरेसे बांटते रहो यार,
ना जाने कौन सी “घडी” आख़री होगी..
LikeLiked by 2 people
દેવિકાબેન,
તમામ વાડાબંધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવિવર શ્રી ઉમાશંકરભાઈનું ‘વિશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ-પરદેશનો ભેદ, ન જ્ઞાતિ-વિવાદ કે ન ક્યાંયે કશો વિખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તિનો સ્નેહપૂર્વકનો સ્વીકાર.
મારું આ પ્રિય કાવ્ય .તમારા આ પત્રમાં ઘણી મન પસંદ કવિતાની પંક્તિઓ પણ માણવા મળી..
તમારી કવિયિત્રી કલમ નવું નવું લખતી રહે એજ શુભેચ્છા. આવતા શનિવારની રાહ….
LikeLiked by 2 people
સાચી વાત જ એ છે કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ. તમને પણ એવું જ વાંચવુ,વિચારવું અને લખવું ગમે છે તેનો આનંદ. આ સાથે તમને અને તમારી કલમને પણ એ જ શુભેચ્છા,ઈન્દુબેન.
LikeLike
આ માનવધર્મનો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ, પરંતુ માનવધર્મ એટલે શું? વાડાબંધી ફગાવવી એટલે શું? આપણને આપણે જ ઊભા કરેલા વાડાઓ દેખાય છે ખરા? આપણી ભિતર એક રાજકારણી (શાસ્ત્રોની ભાષામાં દાનવ) રહે છે તે વાડા પર વાડા ઊભે કર્યે રાખે છે તે દેખાય છે? આપણે આપણી જાતને જે ઓળખીએ છીએ તે નામથી, લીંગથી, જ્ઞાતિ-જાતિથી, પેટા જાતીથી, દેશથી, રાજ્યથી, ભાષાથી, રંગથી, રુપથી,પદથી, ડિગ્રીઓથી…. એમ એક પછી એક અસંખ્ય વાડાઓમાં આપણે જીવી છીએ. અને આપણા વાડાઓને આપણે અલંકારોથી શુશોભિત કરીએ છીએ. વળી તેનો ગર્વ કરીએ અને રુપાળું નામ આપીએ સ્વાભિમાન. હું ભારતિય હોવાનુ મને ગર્વ છે. હું ડોક્ટર છું તેનો ગર્વ છે. હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, સ્ત્રી છું, પુરુષ છું, મહારાષ્ટ્રિયન છું, સુરતી છું એમ એકયા બીજી રીતે આપણાજ વાડાઓને રંગીન બનાવીએ અને બીજી બાજુ માનવધર્મની વાતો કરીએ ત્યારે આપણા દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે તેવું ક્યારેય અનુભવાયું છે? વહેવારમાં તો બધું નકલી જ ચાલે છે પરંતુ જ્યારે અધ્યાત્મની (ભિતરની) યાત્રા કરીએ ત્યારે નકલી કામ નથી આવતું. ત્યાં અસલી નાણું જ કામ લાગે છે. અને આાપણા વાડાઓ ક્યારેય નકલી ઈલાજોથી દુર નથી થઈ શકતા. નકલી બીજથી માનવધર્મનો છોડ નથી ઊગતો. મેટ્રીમોનિયલની જાહેરાતો, જ્ઞાતિ જાતિના મંડળો, ગુજરાતી-સીંધી સમાજ કે અન્ય સમાજ આ અને આવા અનેક સંગઠનો આપણી ભિતરના દાનવને પ્રગટ કરતા પ્રમાણૉ છે. બસ આવું ચાલે છે અને ચાલવાનુ. બહાર બધું નકલી જગત અને નકલી સિકાઓ જ ચાલે. એક સમયે જે અસલી દેખાતું હોય અને ચલણમાં હોય તે ક્યારે નકલી થઈ જાય તેની ખબર ન પડે. (૫૦૦-૧૦૦૦ની નોટોની જેમ
LikeLiked by 2 people
read many letters after long long time.devika ben, enjoyed..congrats..liked it.
LikeLiked by 2 people