૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
આજનો શનિવાર તો ઘણી દિશાઓમાં દોડ્યો. એક સાથે ઘણાં વિષયોને અટકચાળો કરી લીધો.
પણ મિત્રો સાથે તો મન મૂકીને આવી જ વાત થાય. આ કાંઈ નિશાળમાં લખાતો એક વિષય પર પત્રાલેખનનો નિબંધ થોડો છે. સરસ સરળ “મનકી બાતે” જેવી વાત.
LikeLiked by 1 person
પ્રવીણભાઈ, તરત સુંદર પ્રતિભાવ બદલ આભાર.
LikeLiked by 1 person
ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા NI JARROR KHARI ? I THINK THIS LEADS TO VIOLANCE.
LikeLike
નમસ્તે વસંતભાઈ, મહંમદ ગઝનીએ ૧૮ વખત સોમનાથ મંદિર પર હુમલા કર્યા ત્યારની વાતના સંદર્ભમાં એ વાત કરી હતી. હું પણ હિંસામાં માનતી નથી પરંતુ શ્રદ્ધા સ્થાનની રક્ષા કરતી વખતે જો જરૂર પડે તો ‘અહિંસા’ને નામે કાયર ન બનવું જોઈએ. નીચે આપેલી લીક જોઈને આપ હોવ તો શું કરો? હું ભલે હથિયાર ન ઉપાડું પરંતુ સામનો જરૂર કરું.
LikeLike
ધર્મ, વ્યક્તિપુજા, બાબાઓ ને એવી બધી વાતો મને ગમી. અને છેલ્લે પેલા ‘અભણ’ ના કાવ્યની પંક્તિઓ.
ઝાકળમાં બોળી ટેરવાં,
બસ એક ધારણા ચીતરી જો,
કોરા કાગળમાં પણ લીલાંછમ બનાવો ફુટી નીકળશે.
વાહ…વાહ…
નવીન બેન્કર
LikeLiked by 2 people
વાહ.. સરસ વાત કહી છે… કહેવાય છે અગર ત્રીજું વર્લ્ડ વોર થશે તો પાણીને માટે થશે… !! ઈશ્વર આ કહેણી ખોટી પાડે..
LikeLiked by 1 person
પાણી વગરના તરફડાટની કલ્પના કરવી જ અસહ્ય છે. ઈશ્વર આ કહેણી સાચી ન પાડે.
LikeLiked by 1 person
Sthal ane kalna bandhano purushe (pachhi e koi pan hoy ) fagavi sidha ane potana swarth mate strione bandhanma jakadi didhi pan have bas thayu hajaro varshno e dharo todavoj rahyo. Ek bahu moti vat patrama ek nankada drashtant dvara aape bahu saras smajavi didhi.
LikeLiked by 2 people
કાળક્રમે લોકો ક્યારે અહિંસક બનવું અને ક્યારે ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા એનો વિવેક ખોઈ બેઠા છે, એ વિવેક જો આવે તો દેશ અને લોકો જરુર સરળ જિંદગી જીવી શકે, ધર્મના વાડામાં બંધાયા વગર.
LikeLiked by 2 people
ઝાકળમાં બોળી ટેરવાં
બસ એક ધારણા ચીતરી તો જો,
કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે.
નીનાબેન તમે અને દેવિકાબેને પણ આમ જ કલ્પનાના ઝાકળમાં ટેરવા બોળીને વિચારોને ચિતરવાનું શરૂ કર્યું એમાં કોરા કાગળ પર જે લીલાછમ બનાવોની ઘટમાળ સર્જાઇ છે તે તો કોઇની ય ધારણા કરતાં વધુને વધુ લીલીછમ બનતી જાય છે. શનિવારની સવાર ઉઘડતા જ તમારા પત્રોની શૃંખલામાં કઈ કડી ઉમેરાઇ હશે તે જાણવાની ઉત્કંઠા ઉગી આવે છે.
LikeLiked by 2 people
તમારા ભાઈનું B.P. હંમેશાં 120/80 ની અંદર જ રહ્યું હશે !!
બધાની જેમ મને પણ
ઝાકળમાં બોળી ટેરવાં
બસ એક ધારણા ચીતરી તો જો,
કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે
પંક્તિઓ બહુ જ ગમી. It is so wonderful thought !!
LikeLiked by 2 people
Agnan Gnan no Mugut Pahere Chhe – Sundar Vaat
LikeLiked by 2 people
ફરી એક વાર લખવાનું ગમે છે આ પત્રો અઠવાડીક કેમ? આતો દૈનિક જ હોવા જોઇએ..
બહુ સરસ શ્રેણી ચાલી રહી છે શત શત અભિનંદનો બંને લેખિકાઓને…..
LikeLiked by 1 person
નીનાબેન સ્વામી સચ્ચિદાનંદજીના એક પુસ્તકનો ઉલ્લેખ કરે છે – ‘ઈતિહાસના પૂર્વાપર સંબંધ આપી ખૂબ જ તાર્કિક રીતે તેમણે આ પુસ્તક લખ્યું છે-અને ક્યારની મથું છું પરંતુ નામ નથી યાદ આવતું…’ મને લાગે છે એ પુસ્તકનું નામ – ‘ભારતીય યુધ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’છે. થોડાક ક્વૉટેશન આ જ પુસ્તક્માંથી –
“ભારતીય પ્રજાનો મોટો ભાગ માનસિક રીતે યુધ્ધવિમુખ રહ્યો છે, કારણ કે ભારતીય પ્રજાની મનોદશા જે અધ્યાત્મથી પ્રેરિત રહી તે અધ્યાત્મ, ઇચ્છાશક્તિનો ક્ષય કરવા ઉપર પ્રબળ ભાર મૂકે છે. અહીંના પ્રસિદ્ધ મુખ્ય ધર્મોએ બધાં દુ:ખોનું મૂળ ઇચ્છા બતાવ્યું છે. ઇચ્છાનો ક્ષય કરવા જુદી જુદી સાધનાઓ બતાવી છે. ઇચ્છાના ક્ષયને પ્રદર્શિત કરવા અપરિગ્રહ ઉપર ભાર મુકાયો છે.”
“સાચા ત્યાગ કરતાં પ્રદર્શિત તથા નિયંત્રિત ત્યાગ વધુ વિસ્તર્યો. સમૂહ-ચિંતન તથા તેના દ્વારા થતાં ઘડતરમાં ત્યાગ-વૈરાગ્ય-અપરિગ્રહ વગેરેનો પ્રચંડ પ્રભાવ જામતો ગયો.”
“ઘણાં લોકો પોતાના મનને છેતરવા માટે કહી દેતા હોય છે કે એ તો આવતા જન્મે કર્મનાં ફળ મળવાનાં થશે ત્યારે ખબર પડશે. આવતા જન્મ ને આધારે ઘડાયેલી આ આખી વિચારધારાથી, આ ચાલુ જન્મના ઘોર પ્રશ્નોની પણ આપણે સાચી સમીક્ષા કરી શક્યા નથી, તેથી પેલા હિંસાવાદીનો તો કદાચ આવતો જન્મ બગડશે પણ આપણો તો આ જન્મ જ ધૂળધાણી થઈ ચૂક્યો છે.”
“ભારતીય ધર્મોએ અહિંસા ઉપર અત્યંત ભાર મૂક્યો. કેટલાક લોકોએ તો જાણે કે પ્રત્યેક સ્થિતિમાં અહિંસા જ એકમાત્ર આચરવાયોગ્ય ધર્મ હોય તેટલો તેના ઉપર ભાર મૂક્યો. પ્રજાના સતત પરાજયમાં અહિંસાવાદે મહત્વનો ભાગ ભજવ્યો છે.”
“એકંદરે એમ કહી શકાય કે ઇચ્છાશક્તિનો ક્ષય કરનારું અધ્યાત્મ, વધુ પડતો અહીંસાવાદ અને કર્મફળવાદ- આ ત્રણેયે મળીને પ્રજાની મનોદશા યુધ્ધવિમુખ બનાવી દીધી.”
“બીજી તરફ નકારાત્મક અધ્યાત્મે આ લોક કરતાં પરલોકને સુધારવા ભારે ભાર મૂક્યો, એટલે સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઈ જવા તરફ વધુ પ્રેરણા મળી, એટલે વિશ્વની કોઈ પ્રજાએ ના પેદા કર્યા હોય તેટલા સાધુઓ ભારતે પેદા કર્યાં.”
“ભારતની ગુલામીમાં ભારતનાં સમૃધ્ધ મંદિરોનો મોટો હાથ રહ્યો છે, કારણ કે તેમની અરક્ષિત સમૃદ્ધિથી લલચાઈને આક્રાન્તાઓ આવ્યા, રમત-રમતમાં તેમણે મંદિરો લૂટ્યાં, તોડ્યા. કોઈએ કશો ચમત્કાર ના બતાવ્યો. આજે પણ સેંકડો યોગીઓ ચમત્કારની હવા ઊભી કરે છે અને પ્રજા એ જ ગાંડપણ રાખીને તેમના પગ ધોઈ પીવે છે. જાણે કે પ્રજા કશો બોધપાઠ જ લેવા તૈયાર નથી.”
“ભારતીય ધર્મો નિવૃત્તમાર્ગી હોવાથી સાહસ તથા મહાપ્રવૃત્તિઓની પ્રેરણા નથી આપતા. અવતારવાદ, કર્મફળવાદ, કાળની પ્રબળતા વગેરે અનેક વાદો એક તરફ તેને સાહસ તથા મહાપ્રવૃત્તિ પ્રત્યે હતોત્સાહિત કરે છે, તો બીજી તરફ ભયંકર અત્યાચારો તથા અગવડોને પણ સહી લેવાની પ્રેરણા આપે છે. આ રીતે ધાર્મિક ઘડતરથી ઘડાયેલી પ્રજા નમાલી બને છે. બીજી તરફ ધાર્મિક અભિગમોથી પણ પ્રજા રાજકીય અને શૌર્યની દૃષ્ટિએ ઊતરતી કક્ષાની થઈ જાય છે.”
LikeLiked by 2 people
કિશોરભાઇ, આપે ઊંડો રસ લઈ,શોધી શોધીને આટલું બધું ગુજરાતીમાં ટાઈપ કરીને જે પ્રતિભાવ આપ્યો તે સાચે જ પ્રશંસનીય છે. આ જ રીતે વાંચતા રહેશો અને અમારું બળ વધારતા રહેશો. આપનો દિલથી ખૂબ ખૂબ આભાર..
LikeLike
બરાબર કિશોરભાઈ, પુસ્તકનું નામ યાદ કરાવવા માટે અને આપે લીધેલી જહેમત માટે ધન્યવાદ. દેવિકા સાથે પૂરેપૂરી સહમત થાઉં છું.
LikeLike