સંગ્રહ

પ્રેરણામૂર્તિ..

કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે. બાળપણથી આજ સુધી મારા અને મારા જેવા અનેકના જીવનને સ્પર્શેલી મહત્વની ઉમદા વ્યક્તિઓમાંની એક..
સેવામૂર્તિ મુ.મુક્તિબેન મજમુદારને માટે આજે  ખાસ….
જોગાનુજોગ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના દિવસે ( મે ૭ ) જ આવતા તેમના શુભ જન્મદિને,
પ્રેમ,આદર અને નમન સહિત… શતં જીવ શરદઃ ની શુભેચ્છા અને પ્રાર્થના સાથે….

click on this arrow,please…

*************                *************                 ***************

છંદ- શિખરિણી–  ( યમનસભલગા )

(રાગ-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.)

ઝરે જેના નેત્રે, અમરત તણી ધાર છલકે,

દિસે સેવામૂર્તિ, મૃદુલ કરુણા દિલ ઝળકે,

વિચારો આચારો, જગત હિત કાજે વિહરતા.

અને નામે મુક્તિ, કરમ પરમાર્થે મલકતા.

રુડી વાણી સાચી, તનમન સદા ગાન અમીના,

અપેક્ષા-નિરાશા સરળ રુદિયે ના દિઠી કદા.

રહે ના કો’પીડા સકળ જન એવા અવતરે.

અહો,પામે શાંતિ અગર સહુ પ્રેમે હળી મળે.

વિધિની આ કૃતિ, સજળ નયને વંદુ દિલથી

નમે દેવી સ્નેહે, હ્રદય-મન મુક્તિ-રજ લઇ….

એક અધૂરું કથન..

 

 

 

 

 

 

 ‘એક અધૂરું કથન’ માં એક વટવૃક્ષની કથા છે,જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબેન દોશી લિખીત એકાંકી નાટકઃ  ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ ના આધારે ૨૦૧૧માં લખેલ આ રચના આજે ફરી મઠારીને પ્રસ્તૂત છે.

મૂળ નાટકમાં એક નવયુવાન પત્રકારને પહેલો ઈન્ટરવ્યુ વડલાનો લેવાનો થાય છે. પહેલા દિવસે  જરૂરી પ્રશ્નોત્તરી પછી વડલો એ યુવાનને બીજા દિવસે બોલાવે છે. દરમ્યાનમાં વડને ઘણી બધી કથનીઓ સાંભરે છે. છેવટે એ વિશ્વને એક મહાન સંદેશ આપવા તૈયાર થાય છે. બીજા દિવસે પત્રકાર આવે તે પહેલા તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે અને એમ જ ઈન્ટરવ્યુ અને વડનું કથન બંને અધૂરા  રહી જાય છે. (  વિવિધ અક્ષરમેળ છંદ )

( મંદાક્રાંતા )

રે વૃક્ષો નેકરવત થકીકાપી છેદી  દીધાં;
લાગ્યાં ઘાથીઢળી પડી પછી, પ્રાણ છોડી  દીધાં.

 

( અનુષ્ટુપ )

છોરું  ધરતીના નેભેરું  વનનાં  હતાં.
વ્યોમ ને ભોમ શાળામાંરોજે  ભણતાં હતાં.

 

( હરિગીત )

ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.

હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃધ્ધોના શિરે છાંયો હતાં..

 

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાંજૂના પટારા ખુલ્યા,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનનીહૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી

 

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરીમીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી હીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અહીં અવર ભગિની દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનનો નિર્દેશ છે )

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવીવટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તોલ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી  દીધાં,
 વૃક્ષોનેધડ પર પછીકાપી છેદી  દીધાં,
લાગ્યા ઘાથીઢળી પડી નીચેહૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

લક્ષ્ય..

‘પ્રતિલિપિ’ના સૌજન્યથી મળેલ તસ્વીર બોલે છે…..

dhyey

 

 

 

 

 

છંદવિધાનઃ હરિગીત ( ૨૮ માત્રા)

બે બાહુમાં બળને ભરી ને અંગમાં ઉમંગ લઈ,
સપનાની સંગે આશને એણે તરંગોથી મઢી,
કાળા થતા પડછાયાને પાછળ બધા ય છોડતો,
સુદૂર નભના તારલાઓ પામવાને દોડતો.

 

મસ્તીના મ્હેલે રાચતો, આનંદથી એ નાચતો,
બસ, ચાલતો, ને ઊડતો, ભૂસ્કા ઘણાં એ મારતો,
ને આભના સહુ વાદળાઓ સ્પર્શવાને ચાહતો,
સુદૂર આભે તારલાઓ પામવાને દોડતો.

 

મનડા મહીં જ્યોતિ મઝાની ધ્યેયની જે જાગતી,
એ રાહમાં અથડાઈ, નડતા કંટકો મિટાવતી,
ને લક્ષ્ય એનું એક છે જે
પ્‍હોંચવાને કૂદતો,
સુદૂર ઉંચે તારલાઓ પામવાને દોડતો.

 

પગલાંની છાપ

footprintsInspirational poem “footprints  in the sands”
by Mary Stevenson…..
One night I dreamed I was walking along the beach with the Lord.  Many scenes from my life flashed across  the sky. In each scene  I noticed footprints in the sand. Sometimes there were two sets of footprints, other times there were one set of footprints.  This bothered me because  I noticed that during  the low  periods of my life, when I was suffering  from  anguish, sorrow  or defeat, I could see only  one set of footprints. So I said to the Lord, “You promised me Lord,  that if I followed you, you would walk  with me always. But I have noticed that during  the most trying  periods of my life  there have only  been one  set of footprints in the sand. Why, when I needed you most,you have not been there for me ? The Lord replied, “The times when you have  seen only one set of footprints in the sand, is when I carried you.”

Mary Stevenson

“footprints  in the sands” by Mary Stevenson..પર આધારિત મારી જૂની  રચનાને ” ઇન્દ્રવજ્રા” છંદના વાઘા પહેરાવી ફરી એક વાર પ્રસ્તૂત…

છંદવિધાન-ઇન્દ્રવજ્રા-૧૧ અક્ષર (ગાગાલ ગાગાલ લગાલ ગાગા)

નોખું આ કેવું સપનુ જગાડે,

સંગે હતો ‘એ’ દરિયાઇ કાંઠે,

ઝુમેલ વૃક્ષો ને સુંવાળી રેતી,

ઝુલેલ ફૂલો ને ગુલાબી કેડી.

વેગે જતી’તી મનની ખુમારી;

ખોયું હતું ભાન ગુમાન ધારી.

પ્‍હોંચી પછી દૂર અજાણ રાહે,

ભેંકાર લાગે બધું સાંજ ટાણે.

પાછું વળી જોયું, શું રે થયું આ?

‘એ’ના હતા તે, પગલાં જ અદ્રશ્ય !

પ્રશ્નો હજારો ભિતરે ઉઠ્યાં’તા.

શંકા-કુશંકાથી અશ્રુ સર્યા’તા.

ત્યાં દૂરથી ગેબી અવાજ કાને,

મારા જ એ બે,પગલા છે સાથે.

એ હું જ છું, ને તુજ સાથ છું હું.

તેડી તને હું પગલાં ભરું છું..

 

સાહિત્ય ક્ષેત્રે જવલંત સિધ્ધિઓ મેળવનાર નીલમબેન દોશી સાથે એક ઝલક.

નીલમબેન દોશી

નીલમબેનની કલમ ‘સંબંધના સેતુ’ બાંધે છે, ‘અત્તરક્યારી’ ખીલવે છે, ‘અત્તરગલી’ મ્હેંકાવે છે. ‘ગમતાનો એ ગુલાલ’ કરે છે. તેમનો ‘ચપટી ઉજાસ’ અજવાળા અજવાળા પાથરે છે. રોજની ‘ખાટીમીઠી’ હસીને મમળાવવાનું મન થાય એવી રચે છે. અને ભલેને હજારો માઇલ દૂર હોય છતાં ‘પરમસમીપે” છે. તેમનો સંગ પારસમણિ જેવો છે.

નીલમબેનની વારતાની છીપમાંથી રોજ એક મોતી બંધાય છે એ છાપ સાચી સમજાય છે. તેમની વાર્તા અને નાટકોમાંથી અને વ્યક્તિત્વમાંથી પણ ભારોભાર ઇન્સાનિયત છલકાય છે.

એવી જ એક  ઉમદા વાત અને ઉંચેરો સંદેશ આપતુ,નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” છે. જેમાં  એક એવા પાત્ર, વટવૃક્ષની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.આ નાટકને આધારે લખાયેલ  જુદા જુદા ચાર અક્ષરમેળ છંદમાં ગૂંથેલ  મારી એક સ્વરચના ફરી એક વાર આપની સમક્ષ સહર્ષ….

એક અધૂરું કથનઃ

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;

લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.


( અનુષ્ટુપ )       (વૃક્ષનું વર્ણન )

છોરું એ ધરતીનો ને, ભેરું એ વનનો હતો.

વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતો હતો.


( હરિગીત )

પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;

સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.

તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;

એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.


( શાર્દૂલવિક્રીડિત )      (વૃક્ષની ખાટીમીઠી યાદોની વાત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,

નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;

પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,

કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,

મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,

નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,

હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.


(અનુષ્ટુપ ) 

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.

મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..


( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,

એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,

લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !

સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

‘વેબગુર્જરી’ને શુભેચ્છા..

‘વેબગુર્જરી’ ના આજના જન્મદિવસે ખાસ….

શાર્દૂલવિક્રીડીત ઃ

ઊગ્યો આજ રવિ લઇ શુભ ઘડી,ગૂંજી ઉઠી ગુર્જરી,

બાંધે જે દશદિશ ગુર્જર-જનો,ગૂંથી નવો માંડવો,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના,કંકુ અને ફૂલથી,

સંગે સૌ નતમસ્તકે શુભ વદો, કુર્યાત્સદા મંગલ‌મ.

http://webgurjari.in/2013/01/25/first-post/

શિશુવયની શેરી

 

 

 

 

 

શિખરિણી    ( યમનસભલગા-૧૭ )

જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

******************************************************************************************

સુંદર હસ્તાક્ષરના શિરોમણિ શ્રી નાથાલાલ દેવાણી તરફથી મળેલ ભેટ.. 

શારદસ્તુતિ

 

શાર્દૂલવિક્રીડીત ( મસજસતતગા-૧૯ )



પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….

કાળચક્ર

 

 

 

 

 

  

 

શિખરિણી     ( યમનસભલગા-૧૭ )

જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

અધૂરું કથન…..

 

નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી દીધાં.

( અનુષ્ટુપ )

છોરું ધરતીનો ને, ભેરું વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે ભણતો હતો.

( હરિગીત )

પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી દીધાં,
વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!