આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે..

આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઈતિહાસના વાંચેલા પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડિલોના મુખેથી સાંભળેલ કારમા દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે. અને એ જ સાચો ઉત્સવ છે.

પ્લસ અને માઈનસ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે,

વિદેશમાં રહેતા અમારા જેવા મૂળ ભારતીયો  સમયને અભાવે ભલે પીઝા,પીટા કે નાન થી ટેવાયાં હોઈએ, ભલે ‘જેવો દેશ તેવો વેશ’  ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ પ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનની પ્યાસી છેપરદેશમાં પણ આજની ઉગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેક તહેવારો  મસ્તીથી ઉજવે છેહિંદુસ્તાનની વાનગીઓ મન ભરીને માણે છે. હાનવો સમય છે, નવી પાંખ છે ,નવા ઉમંગો છે, નવો મલકાટ છે. એટલે  રીતો  પણ નવી છે, પણ  કર્મભૂમિના આદર સાથે પણ દિલ તો માતૃભૂમિને જ નમે છે.

આજે જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય?

એ તમામ શહીદોની યાદમાં થોડી પંક્તિઓ પ્રસ્તુત છેઃ

‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી. 

રુધિરથી લથબથ  થતી લાશો નજર  સામે  ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી. 

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી. 

અમૃત મહોત્સવની વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદસો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

 રાતો ગઈ,વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

તો આ સાથે આઝાદીના ‘અમૃત મહોત્સવ’ના આ પર્વના ગર્વ સાથે આપ સૌ દેશપ્રેમીઓને
જયહિંદ.

—દેવિકા ધ્રુવ

3 thoughts on “આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s