૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017

પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.

Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
મહાથાળે પ્રસન્ન
‘કમળાપતિ’ દ્વારકાધીશ અને રણછોડરાયને છપ્પનભોગ ધરાવવાનો આવે છે. એમાં કમળનું ફુલ નિમિત છે.કમળનાં ફૂલમાં સામાન્ય રીતે ત્રણ પડ હોય છે. સૌથી પહેલાં પડમાં આઠ, બીજા પડમાં એનાથી ડબલ સોળ અને ત્રીજા પડનાં એનાથી ડબલ બત્રીસ અને કુલ મળીને છપ્પન પાંખડીઓ ખૂલી જાય તેની મધ્યમાં ભગવાન બિરાજે છે. પછી દરેક પાંખડીઓ એક-એક ગોપી ભગવાનને છપ્પન વાનગીઓ ખવરાવે છે. અહીં ‘વાનગીઓની ભેળ’ વાત ગમી ગઇ. સૌને સઘળીનો સ્વાદ મળે! આકાશીચૉરે અને ત્રણ ચોટલા છે એટલે ઓટલા સલામત છે. આ ભેળમા ચાર જણ સિવાય પૂરી ,મમરા, સેવ, ખમણ, તલ, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો , બટાકાના કડકા, ડુંગળીનું કચુંબર જેવા અમારા જેવાપણ પત્રથાળીમાં પોતાની વાનગી પીરસી ગયાં ! ટપાલ ‘પત્ર એક સાહિત્યસ્વરૂપ…’વાતે અમારા દાદાજીએ સંઘરી રાખેલો, કલાપીએ પોતાના હાથે લખેલો પોસ્ટકાર્ડ રદ્દીમા ગયો જેનું શૂળ ભોંકાયા જેવું દરદ યાદ આવ્યું…’પાનના ધ્વનિવિશેષે ‘યાદ આવી સ્નોના તોફાનમા ગૂલ થયેલી લાઇટ અને બહાર વીપીંગ વીલોમાંથી પસાર થતો સુસવાટા મારતો આક્રંદ કરતો પવન- જીવતાજીવ મરશિયાની મોજ કરાવતો હતો.સુ શ્રી રાજુલબહેનની ‘વિવેકબુદ્ધિ પર નિર્ભર શબ્દ’ પર નીરવરવવાળો શબ્દ યાદ આવે! વિશ્વપ્રવાસી સુ શ્રી પ્રીતિબહેન આકાશીચૉરે પોરો ખાધો -ગુંજન થાય મા – વેણીભાઈના ગીતનું
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તુય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાંછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખ-દુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતને જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યારબ, આ ધબકારો શા માટે? અને શબ્દની ત્રણ શક્તિઓ છે: અભિધા, લક્ષણા ને વ્યંજના વિષે વારંવાર સમજવા પ્રયત્ન કર્યો-વધુ મનન-ચિંતન કરવું પડશે. રાજુલજીની શબ્દ અંગે ‘વિકસવાને બદલે જાણે કે વિકૃત થતી …’સાથે “‘પત્રાવળી’ના આ અભિગમને કારણે, સાદા તેમજ અલંકૃત શબ્દો નો ઉપયોગ અત્યંત મૌલિક અને સર્જનાત્મક કાર્ય માટે થયો.” આનંદની વાત
છેવટ-“ઘડાની સાર્થકતા એ તરે એમાં પણ નથી અને ભરાય એમાં પણ નથી,એની સાર્થક્તા તો એને કૃષ્ણનીકાંકરી લાગે એમાં છે.”યાદ આવે મા નાથાલાલજીની રચના
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
રાહ કૃષ્ણકાંકરીની
LikeLiked by 7 people
પ્રજ્ઞાબેન,
આ મહાથાળને પ્રતિભાવ આપતા આપે તો કેટલી મહત્વની વાત સમજાવીને જ્ઞાન પીરસ્યું , આપના પ્રતિભાવ વાંચવા ખુબજ ગમે છે .
LikeLiked by 2 people
દિલથી ખૂબ ખૂબ આભાર અને વંદન..
Mukund Gandhi
To:
Devika Dhruva
માનનીય દેવિકાબેન,
પત્રાવળીના ઘણાં પત્રો વાંચ્યાં છે. આ નવો દોર શરૂ કરી તેનું સંચાલન કરવા બદલ તમને
હાર્દિક અભિનંદન. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટે આ પત્રાવળીમાં ફાળો આપનાર
સૌ અભિનંદનને પાત્ર છે. સમગ્ર વર્ષ દરમ્યાન ભિન્ન ભિન્ન વિષયો પર રસિકતાપૂર્વક શબ્દોની
ગુંથણી દ્વારા જે લેખકો, કવિઓ અને વાંચકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે સર્વને અભિનંદન.
મુકુંદ ગાંધી.
LikeLiked by 2 people
કાંકરી લગાવ્યે માટલી ફૂટતી હોય તો લો.. આ કાંકરી.
પણ ‘એ’ માટલી તો લોઢાની છે અને પોલી નહીં – નક્કર છે. એ આ કાંકરીથી ટૂટશે ખરી?
એને ઓગાળવા તો જાગૃતિની જ્યોત જોઈશે !
LikeLiked by 3 people
સુરેશભાઈ,
આપ એક શબ્દ લખો કે એક લાઈન લખો તેમાં તત્ત્વ ચિંતન સમાયેલું હોય છે, વાંચતા જ આંખ સામે જાણે ગ્રંથ સામે આવી ગયો હોય એમ લાગે કારણ એ વાક્ય, એ વિષય પર વિચાર કરતા કરી દે છે.
LikeLiked by 3 people
વાહહહહહહહહહહ, ખૂબ સરસ. સમગ્ર શબ્દયાત્રાના નિચોડ સમાન આ 56મો ભોગ નિઃશબ્દ કરી દે એવો છે.
ચારેય વડીલોને વંદન સાથે અભિનંદન.
આભાર તો નહીં માનું, કેમ કે તમે અમને આવું પિરસણ નહીં પીરસો તો બીજું કોણ પીરસશે?
LikeLiked by 2 people
મધસાગરના તરંગો પર ફૂલો વેરાય, ડૂબે નહી તરતા વિખરાતા જોયા કરીએ એવી જ અનુભૂતી પત્રાવલીમાં પિરસાયલા શબ્દો જોતાં થઈ. હું સાહિત્યનો અભ્યાસી નથી. સૂજ્ઞવાચકો જે માણી શકે તે કદાચ હું ન માણી શક્યો હોઉં, પણ કંઈક નવું જ જાણવા મળ્યાનો આનંદ તો થયો જ. બન્ને બહેનો અને જુભાઈને હાર્દિક ધન્યવાદ.
LikeLiked by 4 people
આ મહાથાળમાં જ એટલું બધુ છે, પ્રતિભાવ રુપે કહેવા માટે શબ્દ નથી મળતા.એક વર્ષમાં પતરાવળીમાં છપ્પન ભોગ પીરસાયા, પ્રેમથી આરોગ્યા.
હવે બસ બીજું કંઈક નવુ મળશે એવી આશા સાથે અનેક શુભેચ્છા.
LikeLiked by 3 people
છપ્પન અઠવાડિયા સુધી પત્રાવળીના જમણની મઝા આવી . સૌને હાર્દિક અભિનંદન .
LikeLiked by 2 people
આ છપ્પન ભોગ જોઈ/વાંચી મોંમાં પાણી આવી ગયું, પેટે અને આંખોએ માણ્યું અને મગજ બોલ્યું! દિવિકાબેને પ્રથમ પત્ર વહેવાર શરું કર્યો હતો એમના એક લંડનવાસી બહેનપણી સાથે, એ મારા સ્મરણમાં સૌને આ મહાથાળ આરોગતા જોઈ આવી ગયા! એમને ઘણા સમયથી અહિ જોયા નથી! મારી વયના કરણે હું કોઈ ભૂલ તો નથી કરતોને? મિયાં ક્યું દુબલા એ તમે સૌ હવે જાણો! આ મહાથાળ પછી મુખવાસ વગર મોં જો મરડાય તો માફ કરશોને? છપ્પનભોગ લીધા પછી આ ગુજરતીની આંખો ઘેરાવા લાગી છે તો સૌને રામ રામ!
LikeLiked by 4 people
આભાર રાજુલબેન ને પ્રજ્ઞાબેન.
LikeLike
આપ સહુનો અમને પિરસાયેલો ભોજનનો મહાથાળ જે છપ્પનભોગના મેવા મીઠાઈ અને મુખવાસના પાનબીડાંથી ભર્યો ભર્યો, અમારા માટે તો એક ઉત્સવથી ઓછો નથી. કેટલી નવિનતા, કેટલા નવા શબ્દોની માહિતી. ખરેખર આ પત્રાવળી એક નવો ઉત્તમ પ્રયોગ આપ ચારેની મહેનત,જ્ઞાન અને સાથે વાચકોના અતિ મુલ્યવાન પ્રતિભાવોથી સભર બની રહ્યો. આ પત્રાવળી ક્યાંક કોઈને સ્પર્શેલા શબ્દો થકી સૌના મન બ્રમ્હાંડમાં કાયમી એક અમિટ છાપ છોડી ગઈ છે. ઘડો ખાલી કે ભરેલો કરતાં ઘડાની સાર્થકતા તો એને કૃષ્ણની કાંકરી લાગે એમા છે અને ચોક્કસપણે એ કૃષ્ણકાંકરી આપની છપ્પનભોગથી ભરેલી પત્રાવળીને સહુ વાચકોના પ્રેમભીના પ્રતિભાવોથી લાગી ચુકી છે.
આ પત્રાવળીને શરૂ કરી એક ભગીરથ કાર્ય એકધારું હર રવિવારે પ્રસ્તુત કરવા બદલ આપ સહુને ખુબ ખુબ ધન્યવાદ.
શૈલા મુન્શા
LikeLiked by 3 people
આ છેલ્લા પત્રનું સંકલન ખુબ સરસ કર્યું છે. સર્વેને અભિનંદન.
પ્રજ્ઞાબહેને મામા નાથાલાલ દવેની રચના “કાચી રે માટીના..” મુકી રસાસ્વાદમાં ઉમેરણ કર્યું.
સરયૂ પરીખ
LikeLiked by 2 people