૯.ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક
‘આથમણી કોરનો ઉજાસ’ (પત્રશ્રેણી)published on 11/11/2017
પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
English
Translated Book in English:
8.
Translation by Arpan Vyas
-available on Amazon.com
-available as paperback and also in kindle eBook.
This Book is an English translation of Diaspora Literature Award Gujarati book . This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.
શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯
https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074
૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩
https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X
૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫
https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/
૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016
https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407
5. Maa- Banker Family–Ebook in English-2017
https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/
૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭
http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066
“દાળ ભેળી ઢોકળી પણ ચઢી ગઈ’. વળી સંગનો રંગ લાગે ત્યારે પણ નથી કહેતા કે, “દાળના સંગે ચોખો નર મટી નારી થયો”? .
– દાળભાતના સૌ ગુલામ.-જેનું અન્ન એના ગુણ ગવાય !-
‘દાળમાં કંઇ કાળુ છે’. આમ તો એ કોકમ જ હોય જેના લીધે દાળના સ્વાદમાં ઉમેરો થાય તેમ છતાં આપણે – કંઇક ગોટાળા કે વાતમાં કંઇક રહસ્ય માટે દાળમાં કાળા કોકમને કેવા સપાટામાં લઈએ છીએ નહીં?
-‘દાળ રોટલી પર શુકરાના કરવા’. એટલે કે, દાળ રોટલીથી ગુજરાન ચાલવું અથવા અન્ન દેવતાનો આભાર માનવો.
રાજૂલબહેન, આમાંની ચાર કહેવતો પહેલી વાર સાંભળી, અને કાળુ કે પછી કાળું એ કોકમને ઉદેશીને વપરાયું છે એ પણ પહેલી વાર જાણ્યું. મજા પડી વાંચવાની. પણ એક વાત કહું તો ખોટું ન લગાડતાં. અમુક શબ્દો પર અનુસ્વારો ચૂકી ગયાં છો, દા.ત. જતાં જતાં. મેં ઘણું પ્રૂફ રીડીંગ કર્યું છે એટલે જોડણી અને વ્યાકરણ પરઅનાયાસે ધ્યાન ખેંચાઈ જાય છે.
LikeLiked by 1 person
આદરણીય ભદ્રાબેન,આપના પ્રતિભાવનો ખૂબ જ આનંદ છે. આ જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો અને ભૂલો તરફ નિર્દેશ કરી માર્ગદર્શન આપતા રહેશો. અનુસ્વારની ચૂક મારી છે,રાજુલબેને તો બરાબર જ મોકલ્યું હતું. ખોટું લગાડવાનો તો સવાલ જ નથી. આ જ તો કલમની પરખ,કસોટી અને એ રીતે પ્રગતિના સોપાન છે ને? આપનો ખૂબ આભાર.
LikeLike
રાજુલબેન,નમસ્તે. તમારી પત્રાવળી આજે ચાખી. ભઇ,દાળ તો બહુ સરસ બનાવી છે ને. ચા ને બદલે દાળ પીવાઇ જાય!હા સાથે મારી ખીચડી પકાવી લઉ. મારી બે કહેવતો. લોકો જયારે પોતાની કાયમી જરુરિયાતો માટે કાયમ બીજાનો આધાર ઝંખે. જેમ કે ભિખારી કે સાઘુ રોટી માટે ભીખ માગે કે સામાન્ય નાગરીક નાની નાની જરુરિયાત માટે વિચારવાની કે કામ કરવાની તકલીફ ના લે કે
વેલફેર જીવતી વ્યકતિ એને પોતાનો જન્મસિધ્ધ હક માનતી થઇ જાય.ત્યારે કહેવુ પડે કે ‘ભઇ, કોઇ ભાણાની ભાંગી દે પણ ભવની નહિ. મતલબ એકાદ વખત કોઇ મફત જમાડે પણ આખી જીંદગી નહિ. બીજી કહેવત કે ભીખના હાલ્લા શીંકે ન ચડે કે માગ્યા ઘીએ ચુરમા ન થાય. મતલબ પોતાના પુરુષાર્થ વિના માણસની પ્રગતિ ન થાય.એક વધારે કહેવત કે આપ્યુ ને તાપ્યુ કેટલી વાર ટકે. તાપણામાં તાપીને થોડી વાર ઠંડી દુર થાય પણ જેવુ તાપણુ ઠરી જાય એટલે હતા ત્યા ને ત્યા. એટલે તો કોઇએ કહ્યુ છે કે તમે માછીમારને એક ટંકનુ ખાવાનુ આપો એના કરતા એને નવી જાળ લઇ દો તો એને કાયમનુ ખાવાનુ મળશે.
LikeLiked by 1 person
વિમલાબેન,સરસ વાત કરી તમે.
LikeLike
બાળપણમા પૂછતા ઉખાણું-‘કાકા કહેતા કાંઇ નહીં લાગે મામા કહેતા લાગે એ શું ?’
દાળ શબ્દે અમ શાંતિસૈનિકોને રવિશંકર મહારાજની વાણી પડઘાઇ-‘દાળ બનાવવી હોય તો તેમાં ગોળ, આમલી, મીઠું, હળદર, મરચું વગેરે વિવિધ મસાલા નાખવા પડે છે. દરેકના વિવિધ ગુણ હોય છે. બધા સાથે મળે છે ત્યારે દાળ સ્વાદિષ્ટ બને છે. એમાં એકાદનું પ્રમાણ વધી જાય તો દાળ બગડી જાય. એ રીતે સમાજમાં જુદા જુદા સ્વભાવ ને જુદા જુદા ગુણ ધરાવતા માણસો રહે છે. એ બધાના સ્વભાવ અને ગુણની સમાજને જરૂર છે. .
રોજ પલાળી દાળ ખાય,
તે ઘોડા જેવો થાય.
ભીની દાળને ગોળ ખાય
તો બને મલ્લનો ધણી.
અમારા વૈદ્યકાકાનું ટોનિક ‘અડદની દાળ બાજરાના રોટલા સાથે ખાઓ
યજ્ઞની શરૂઆત ૐ…
યજ્ઞની વેદીમાં જે અગ્નિ રહેલો હોય છે એને ‘ગુહાનિહિત અગ્નિ’
અને અમારો નિરવરવ તે ૐ
નિરવ રવે રટજો રજની-દિન એક મંત્ર ઉર….
LikeLike
આ સાહિત્યના સંધમાં જોડાવું ગમ્યું! સમયનો સદોપયો થઈ રહ્યો છે!
મારી પાસે ‘કહેવતોનો ભંડાર’ શિર્ષક નીચે, બારાખડીના અક્ષરોનુસાર છે. એક્વાર વાંચવા મળ્યા’તા ત્યારે કોપી કરી એનું અલગ બાઈન્ડર બનાવી લીધું છે. જરુરીયાતે જાણ કરો જાણવા/માણવા!
અત્યાર સુધીમાં અહિ આવી જેમણે બે શબ્દો અમારા જેવાઓને વાંચવા મૂક્યા છે એમની અમે (દેવિકાબેન ગામના મિત્ર છે એટલે ‘અમે’ લખ્યું છે) એમની કદર કરીએ છીએ. જેઓ હજુ બોલતા/લખતા નથી એઓ એમ સમજતા હશે કે..”ન બોલવામાં નવ ગુણ!” તો યારો ભૂલી ન જતા કે “બોલે એના બોર(અહિ શબ્દો) વેચાય!
આભાર સાથે,
‘ચમન’
LikeLiked by 1 person
“અને અમારો નિરવરવ તે ૐ”…બિલકુલ સાચું. એ માટે તો આપને,આપના જ્ઞાનને વંદન.
LikeLike
રાજુલબેન,ૐ એકાક્ષરી શબ્દ કે અક્ષર? એકાક્ષરી લખવામાં પરંતુ બોલતી વખતે જણાય છે ઑ…મ અ ઉ અને મ ત્રણ અક્ષર એકાક્ષરીમાં સમાયેલ છે. ૐ કાર મંત્ર, પ્રણવ અનાદિ છે. અને પૂજા કે યજ્ઞ વિધીના મંત્ર ૐ થી જ શરૂ થાય છે, અને પૂર્ણાહુતીના મંત્ર પણ ૐથી જ શરૂ થાય છે…ૐ પૂર્ણ મદઃ પૂર્ણ મિદ્ મ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે..ૐ નું રટણમાં જાગૃત, સ્વપ્ન સુષુપ્ત ત્રણે સ્થિતિનું સુચન..ૐ કાર ૐ કાર મન ધ્યાન ધર ૐ કાર…
LikeLike
વાહ ઈન્દુબેન, ૐ ની સરસ સમજૂતી આપી.
LikeLike
શૈલા મુન્શા લખે છે
“રાજુલબેન,
દાળભાત વગર ગુજરાતીનો દિવસ પુરો ન થાય. ગમે તેટલા પકવાન હોય પણ અંતે દાળભાત ના હોય તો સંતોષનો ઓડકાર ના આવે. સાથે એમ પણ કહેવાય કે દાળ બગડી એનો દિવસ બગડ્યો પણ અથાણુ બગડ્યું એનુ વરસ બગડ્યું, કારણ દાળ તો રોજ તાજી બનાવાય પણ અથાણુ તો કાચી કેરીની મોસમ આવે અને ખાટાં અથાણા તૈયાર થાય અને જે લિજ્જતથી ભાતમાં એનો મસાલોને દાળ ભેળવાય એનો સ્વાદ તો દાઢે વળગે માટે જ તો એમ કહેવાય કે અથાણૂ બગડ્યું એનુ વરસ બગડ્યું.
શૈલા મુન્શા
Please put my comments on website. I couldn’t post it.
LikeLiked by 1 person
દેવિકાબેન દાળ વિષે એક ઓર કહેવત. ‘દે દામોદર દાળમાં પાણી’ ધાર્યા કરતા વધારે માણસો જમવામાં ઉમેરાઇ જાય એવે સમયે ખાસ કરીને ટેલીફોનની શોધ પહેલાનો જમાનો કે મહેમાનો ગમે તે સમયે ને સંખ્યામાં અણધાર્યા આવી ચડે. નવી રસોઇ ને ખાસ તો દાળ જેવી બહુ સમય લેતી વસ્તુ બનાવવાનો સમય નહોય. કુકર તો હતા નહિ ને ચુલા પર જ બધુ કરવાનુ. ને પાછી મહેમાન આગળ આબરુ ય સાચવવાની. એટલે દાળમાં પાણી ઉમેરીને બે વાટકી વધારે કરી લેવાની. બીજી કોઇ વાનગીમાં તો ઉમેરો થાય નહિ. પછી તો કોઇ માણસ કણની વાતમાં મોણ નાખી, મલાવીને મણ ની કરે તો લોકો કહે કે દે દામોદર દાળમાં પાણી
LikeLiked by 1 person