પત્ર નં ૩૫-ઑગષ્ટ ૨૭ ’૧૬

કલમ-૧

શનિવારની સવાર…

પ્રિય નીના,

ખલીલ જીબ્રાનના હીરા જેવા વાક્યમાં પૂર્તી કરીને વિશ્વાસ, શ્રધ્ધા અને પ્રાર્થના ત્રણેને સાંકળી લેતી તારી વાત ખૂબ જ ગમી. તેમાં પણ કવિવર ટાગોર અને ઉમાશંકરભાઈની પંક્તિઓ તો મારી હંમેશની પસંદગી રહી છે. એ વાત કેટલી સાચી છે કે, પ્રાર્થનામાં માંગણી ન હોય. જે મળ્યું છે તેનો સ્વીકાર અને અહોભાવ હોય. પ્રાર્થના એક રીતે જોઈએ તો આત્મા સાથેનો સંવાદ છે. હું તો દ્રઢપણે માનું છું કે, મંદિરોમાં પ્રગ્ટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો દીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે. હ્રદયનો એક એવો સાચો ભાવ જેમાં કોઈ શબ્દોની જરૂર જ ન હોય અને તે પછી મનની અંદર જે ઉઘડે તે મંદિર..

બીજી તારી વાત, ‘બાર ગાઉએ બોલી બદલાય’ માં ‘ળ’ ને બદલે ‘ર’ બોલતા ગોરની રમૂજ દ્વારા આખું યે ચિત્રાત્મક દ્રશ્ય આનંદ આપી ગયું. માત્ર ગુજરાતીમાં જ નહિ પણ નીના, મેં જોયું છે કે અમેરિકામાં અંગ્રેજી બોલતા લોકોના ઉચ્ચારો પણ દરેક રાજ્યોમાં જુદા જુદા સાંભળવા મળે છે. ન્યુ-યોર્ક, ન્યુ જર્સી કરતાં અહીં ટેક્સાસમાં ‘સધર્ન’ ઉચ્ચારો ઘણાં જુદા પડે છે. મને લાગે છે કે આ વાત દરેક ભાષા માટે એટલી જ સાચી હશે. તમારા બ્રીટીશ ઉચ્ચારો પણ જો ને? કેટલાં સાંકડા? અમેરિકામાં  ‘વૉટર’ પહોળું બોલાય જ્યારે તમે યુકેવાળા ‘વોટર’ સાંકડું બોલો. બરાબર ને ? કેટલાંક વળી ધોળકિયાને “ઢોલકિયા” કહી નાંખે!!

ગયા પત્રમાં તેં થોડી નૈતિક મૂલ્યોની અને તેમાં સ્થળ-સમય મુજબ થતાં પરિવર્તનોની પણ વાત લખી. હવે એ આખો એક ખૂબ જ વિશદ મુદ્દો છે જેની વિગતે ચર્ચા ક્યારેક કરીશું. આજે તો મને એના જ અનુસંધાનમાં, ખાસ કરીને, શંકરે પોતાના દીકરાનું માથું કાપ્યાની તેં લખેલી વાત વાંચી તેના અનુસંધાનમાં, એક જૂની વાત યાદ આવી ગઈ.
હું ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમેશા એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી. પછી તો વર્ષો વીત્યા અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. હું જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ, બિલકુલ મારી જેમ જ સાંભળતા સાંભળતા એના ચહેરાની રેખાઓમાં વિસ્મય અને પ્રશ્નાર્થ ડોકાવા લાગ્યા. છેવટે એ બોલી જ ઉઠી.” બાપ રે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના… આ તો બરાબર ન કહેવાય. ખોટું કામ કર્યું કહેવાય! ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે હજી આજે પણ ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ શું છે ??? નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. એની ગૂંચને ઉકેલવા કરતાં આજે એક નવી વાત કરીએ. સમયની…

સમયની સાથે સાથે, સમયની બળવત્તા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલા યે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પલપલ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે changes થયાં કરે છે ક્યાં ખબર પડે છે? એકાએક એક પળ યુગ બની બેસે છે!! ઈતિહાસના પાનાઓ ઉપર દરરોજ નવી નવી રેખાઓ ઉપસતી રહે છે. અમેરિકા,યુરોપ,ચીન,જાપાન ભારત….ગ્લોબલાઈઝેશનના માર્ગે સમગ્ર વિશ્વના સમીકરણો જ આજે બદલાઈ રહ્યાં છે. નીના, સાચું કહું તો આજે ખબર નથી કેમ પ્રાકૃત અવસ્થામાં જંગલમાં ભટકતા આદિમાનવથી માંડીને (ઈતિહાસમાં વાંચેલા) આજના અતિબૌધ્ધિક સ્તરે પહોંચેલા માનવીના ક્રમિક ફેરફાર વિશે મન વિચારે ચડ્યું છે. અંતે તો સમયને સલામ ભર્યા સિવાય કશું જ હાથ લાગતું નથી.

કુતુબ આઝાદની એક સરસ ગઝલના થોડાં શેરઃ

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઈ ક્ષણ, આ સમયના ગુમાનમાં,
ઢળતા પવનની જેમ સરી જાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ, સમસ્યા છે આ સમય,
સમજી શકે છે તેમને સમજાય છે સમય.

બીજુ, આ પત્ર તને મળશે ત્યાં સુધીમાં તો શ્રાવણના તહેવારોનો માહોલ ચાલતો હશે. સદીઓથી આ રિવાજો થતાં આવ્યાં છે. અહીં અમેરિકામાં પણ એ જ નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ વગેરેનું રુટીન ઉજવાય છે. જન્માષ્ટમી અને પારણાં પર તો મંદિરમાં અધધધ…છપ્પનભોગ જોઈને તો હવે આંધળી માનસિકતા પર ગુસ્સો નહિ, દયા આવે છે. કૃષ્ણને ( જો હશે તો !) કંઈ નહિ થતું હોય? પણ ચાલને, હવે આ વિષય પર ઉંડી ઉતર્યા વગર એક મનગમતી સરસ વાત કહીને અટકું.

તું લખે છે કે આપણે વર્ષોથી ગમતાને ગૂંજે ભરતા રહ્યાં છીએ તે બિલકુલ બરાબર છે અને હવે ગમતાનો ગુલાલ કરતાં કરતાં આપણે પણ ‘નાભિમાં કસ્તુરી’ પામ્યાનો આનંદ પામીએ છીએ, જાતને વધુ ઓળખતા થયા છીએ એ પણ એટલું જ સાચું લાગે છે.

છેલ્લે, આ જ મહિનામાં આવતો તારો જન્મદિવસ કેમ ભૂલાય? તારી ક્ષણે ક્ષણ નિજાનંદની મસ્તીમાં અને તન-મન સ્વસ્થ સુખાકારીમાં વીતે એ જ શુભેચ્છા અને પ્રાર્થના..આ લખી રહી છું ત્યારે સામે ખુલ્લાં આકાશમાં શ્રાવણી પૂર્ણિમાનો ચાંદ દેખાય છે. એના તેજને આપણી મૈત્રીની ઉપમા આપી દઉં?

દેવીની સ્નેહ-યાદ.

26 thoughts on “પત્ર નં ૩૫-ઑગષ્ટ ૨૭ ’૧૬

  1. સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
    સદભાગી કો’કને જ ફળી જાય છે સમય.

    ગમતીલી ગઝલ – એવી જ ‘મનહર’ ગાયકીમાં. અહીં વાંચો, સાંભળો,માણો
    http://mavjibhai.com/madhurGeeto_three/samayno.htm

    Liked by 1 person

  2. Kutub Azadni gazal khoob gami.
    Shankare mathu kapyani vat sathe mane evij Kuntini vatni mare ek vakhat koini sathe charcha thati hati , mane ebhai kaheke,-“striona petama vat na take evo Yudhisthirno shrap chhe.”- me kahyu ema shrap aapavoj sha mate pade, koi stri potana chhokarane aavi vat na kare e swabhavik chhe, pan Yudhisthirna petma dukhyu ke mane kem na kahyu, ane potani matane shrap aapavo e ketalu yogya ganay?

    Liked by 1 person

  3. નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. એની ગૂંચને ઉકેલવા- KOIK SHANKRACHARYA- MOORARI BAPU etc. TO AAGAL AAVE- so that we can convince at least our grand children with the rational behind such. story . Excellent discussion. keep it up.
    By the way- convey our wishes to your Friend NEENA- Happy birthday and many more returns.

    Liked by 2 people

  4. Time.
    “TIME has two meanings. One is chronological time, the clock’s time. I cannot say much about it. You have to ask a physicist; only he can say something about it. That is not my dimension of work. If you ask the physicists, Albert Einstein and others, they will say time is the fourth dimension of space. But that does not make much sense, the mystery remains. The mystery remains as mysterious as it was before Albert Einstein.

    Saint Augustine is reported to have said, “I know what time is if nobody asks me; if somebody asks me then I don’t know.”

    Time is a mysterious quality. Everybody lives in it, everybody feels it, everybody knows it, and yet it is inexplicable.

    The physicist has come to a certain understanding — that it is the fourth dimension of space — but that too does not demystify it. In fact it becomes even more mysterious. We have never thought of space and time as one; now physicists say that they are not two. They use a single word for both: spatiotime.

    But that is not my world, science is not my world. There is another meaning of time, and whenever I use the word ‘time’ I use it in that other sense — psychological time — which has significance, more significance than chronological time.

    What is psychological time? Mind is psychological time. Mind is time. If you don’t have any mind and you are simply silent with no thought moving within, there is no time for you, not psychological time. The clock will go on moving, but for you the inner clock stops — time stops, the world stops. That is my dimension, the dimension of meditation.

    As you go deeper into meditation time disappears. When meditation has really bloomed there is no time found. It happens simultaneously: when the mind disappears time disappears. Hence down the ages the mystics have said that time and mind are nothing but two aspects of the same coin. Mind cannot live without time and time cannot live without mind. Time is a way for the mind to exist.

    Mind creates future through desire, through dreaming. The future does not exist, it is only in imagination, and mind creates the past. The past also does not exist, it is only in the memory. The past is no more, the future is not yet, but both exist in the mind. And because of the past and the future you have the feeling of time.

    Time is not divided into three parts as it is usually divided. Mystics divide time into two parts: the past and the future. Time has only two tenses: past, future. And what about the present? Mystics say the present is timeless because the present is mindless. When you are utterly in the present, herenow, there is neither mind nor time. You transcend time and mind both, you enter into eternity. You are beyond time. You are in a totally different world — transformed, transmuted, transported.

    When I talk about time I mean this time that is created by the mind. Mind clings with the past and clings with the future. It is not ready to renounce the past, it is not ready to die to the past, because it is in the past that it can have its roots. And it is not ready to renounce desiring, dreaming, because it is in desiring and dreaming that it can live. It needs space; it creates a very false space for itself: tomorrow, which never comes. Mind knows of yesterdays and tomorrows, and nothing of today.

    Hence all the Buddhas have insisted, “Live in this moment.” To live in this moment is meditation, to be simply herenow is meditation. Those who are simply herenow this very moment with me are in meditation. This is meditation: the cuckoo calling from far away, and the airplane passing, and the crows and the birds. And all is silent, and there is no movement in the mind — you are not thinking of the past and you are not thinking of the future. Time has stopped, the world has stopped.

    Stopping the world is the whole art of meditation. And to live in the moment is to live in eternity. To taste the moment with no idea, with no mind, is to taste immortality.

    Time is mind. Time is death. Going beyond time is going beyond mind and beyond death.

    But if you want to know about chronological time you have to ask a physicist; that is not my concern. Psychological time is my basic concern. That’s my whole work here: to help you get out of psychological time.”

    OSHO

    Liked by 1 person

  5. દેવિકાબેન.
    શ્રાવણી પૂનમનો આપે ઊલ્લેખ કર્યો છે. તે વિષય પર મેં એક લેખ લખેલ જે અહીં રજુ કરું છું આપને ગમે તો રાખજો અને ન ગમે તો ડીલીટ કરજો.

    શ્રાવણી પૂનમ
    .
    આજે શ્રાવણી પૂનમ છે. જીવની શિવ તરફની યાત્રા માટે મહત્વનો મહિનો એટલે શ્રાવણ માસ. અને એટલે જ અહીં શ્રાવણમા શિવ પૂજાનુ મહત્વ છે. શ્રાવણ શબ્દ બન્યો છે ‘શ્રવણ’ પરથી. શ્રવણ અર્થાત સાંભળવું. હિન્દુ પરંપરા મુજબ શ્રાવણ મહિનામાં ઠેર ઠેર ભાગવત કથા-વાર્તા, ભજન-કિર્તનનુ આયોજન થાય છે જેનુ ભક્તો શ્રવણ કરવા ભેગા થાય છે.
    જૈનોમાં પણ શ્રવણ અને શ્રાવણનુ ખુબ મહત્વ છે. જૈન સાધુ-સાધ્વીઓ ચોમાસુ કરવા એક જ સ્થાને રોકાય અને શ્રાવણમાં પર્યુષણ પર્વ શરુ થાય ત્યારે આખ્યાન આપે જે શ્રાવક શ્રાવિકા સાંભળવા ભેગા થાય.
    ભગવાન મહાવીર સ્વામીએ તેમના શિષ્યોને ચાર વિભાગમાં વહેંચેલ. સાધુ અને સાધ્વી અને શ્રાવક અને શ્રાવિકા. સાધુ અને સાધ્વી દિક્ષા ગ્રહણ કરી, જૈન પરંપરા મુજબ સાધનામાં રહે જ્યારે શ્રાવક અને શ્રાવિકા (ફીમેલ) કેવળ શ્રવણ માત્રથી જ્ઞાન ઉપાર્જીત કરે.મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પામવા શ્રવણને ખુબ મહત્વ આપેલ.
    ગુરુનાનક સાહેબ પણ કહેતાં કે, “શ્રવણની કળા આવડે તો બીજું કશું કરવાની જરુર નથી. કેવળ શ્રવણ માત્રથી તમામ દુખ અને પીડામાંથી મુક્તિ મળે છે અને મ્રુત્યુ કદી તમારો સ્પર્શ કરી નથી શક્તું.”
    એક બાજુ પ્રબુધ્ધ પુરુષો શ્રવણને ઉચ્ચ સ્થાને બેસાડે છે અને આપણો અનુભવ તો કહે છે, સાંભળી સાંભળીને થાકી ગયા. જનમ્યા ત્યારથી સાંભળતા આવ્યા છીએ પરંતુ કાંઈ થયું નહી. અને અખા ભગત જ્યારે કહે કે,” કથા સુણી સુણી ફુટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” ત્યારે એમ થાય કે બરોબર છે સાંભળવાથી કશો શક્કરવાર વળતો નથી. આપણે એમ સ્વિકારી લઈએ છીએ. તો પ્રશ્ન એ થાય કે અનેક સંતો અને મહાવીર અને નાનક જેવાં પ્રબુધ્ધ પુરુષોએ કેમ આમ કહ્યું હશે? આ લોકોના અને આપણા શ્રવણમાં ભેદ શું છે?
    ભેદ ઘણો મોટો છે. આપણે ભાગ્યેજ સાંભળીયે છીએ. અનેક પ્રયોગો બાદ
    વિજ્ઞાનિકો પણ હવે એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, ” બહુ ધ્યાનથી સાંભળતાં લોકો પણ ખેરેખર ૨%થી વધારે સાંભળતા નથી.” કહેવાય છે કાંઇક અને આપણે સાંભળીયે છીએ કાંઈક. આ વાત માનવી અઘરી છે પણ એ જ સાચી છે. આપણને સાંભળવાની કળા આવડતી નથી. આમ થવાનુ કારણ છે આપણું કન્ડીશન્ડ માઈન્ડ (ગ્રંથીગ્રસ્ત મન). આપણું આ કન્ડીશન્ડ માઈન્ડ છે તેની પણ બહુધા લોકોને તો ખબર જ પડતી નથી. આ માઈન્ડ ચોવીસ કલ્લાક ભિતર બકવાસ કરે જ રાખે છે. જ્યારે મોટેથી બોલીએ ત્યારે તે ડાયલોગ બને છે અને જ્યારે અવાજ રહીત બોલીયે ત્યારે તે મોનોલોગ બને છે. હવે જો સતત આપણે બોલીએ તો સાંભળીયે ક્યારે?
    જરા વિચાર કરો આજે આખા દિવસમાં તમે કયા કયા પક્ષીઓનો અવાજ સાંભળ્યો?
    શહેરમાં રહેતાં હોય તો વાહનોનો અવાજ સાંભળ્યો? અવાજ કાને તો બધા પડે છે જ, પરંતુ આપણે ખરેખર સાંભળીયે છીએ ખરા? પ્રમાણિકતાથી વિચારશો તો ખબર પડશે કે ભિતરનો કોલહલ જ એટલો છે કે ધ્વનીના તરંગો પત્થર સાથે અફળાઈને પાછા ફરે તેમજ આપણી સાથે પણ થાય છે. સંત મિખાઈલ નેઈમી કહેતાં, ” તારે અનેક કાન હોવાથી તું સાંભળી નથી શકતો. જે દિવસે એક જ કાન થશે તે દિવસે ખરેખર સાંભળી શકીશ.” સંત મિખાઈલ નેઈમી જેને અનેક કાન કહે છે તે જ છે આપણુ કન્ડીશન્ડ માઇન્ડ. કોઈનુ માઈન્ડ ઇસ્લામથી, તો કોઈનુ હિન્દુથી તો કોઈનુ જૈનથી કે કોઈનુ કન્યુનિઝમથી કન્ડીશન્ડ થયેલું છે. આપણુ માઈન્ડ આમ અનેક રીતે કન્ડીશન્ડ છે અને આપણે તે માઈન્ડને લઈને સાંભળવા નીકળીએ તો સત્ય કહ્યું હોય તોય સંભળાય ક્યાંથી? આપણે જ્યારે કોઈને સાંભળીયે ત્યારે હંમેશા એટલું જ સાંભળીએ છીએ જેટલું આપણે સાંભળવું છે અથવા કહો કે જે આપણા આ કન્ડીશન્ડ માઈન્ડના કન્ડીશનીંગને બળ આપતું હોય. અને જે આપણા કન્ડીશન્ડ માઈન્ડને વધુ કન્ડીશન્ડ કરે તે આપણને બદલે કે આપણામાં સુધાર લાવે ક્યાંથી? એટલે જ અખા ભગતે કહેવું પડે,
    ” કથા સુણી સુણી ફુટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
    ઉદાહરણ તરીકે આ લેખ એક જૈન કન્ડીશન્ડ માઈન્ડ વાંચે તો મહાવીર સ્વામીના સમર્થનમાં લખેલ વાત જ તેનુ માઈન્ડ પકડશે બાકીનુ તેને પૂછો તો કશી ખબર નહી હોય અથવા તેનુ માઈન્ડ બાકીની વાતને રદીયો આપી દેશે અને યાદ નહી રાખે.
    હવેથી જ્યારે કોઈને સાંભળો ત્યારે સાથે સાથે ભિતર થતી પ્રક્રિયાઓને ધ્યાન પૂર્વક સાક્ષીભાવથી જોજો, તો મારી વાત પકડાશે.
    બીજી એક રમત આપણું આ કન્ડીશન્ડ માઈન્ડ કરે છે કે જ્યારે તે કોઈવાતનો અસ્વિકાર કરે ત્યારે તે તરત નીંદ્રામાં સરકી જાય છે, જેથી સાંભળવાની જરુરત જ ન રહે. કથાઓમાં લોકો સાંભળવા કરતાં નિંદ્રા કે ઝપકી મારવા વધુ આવે છે. મોટાભાગના પ્રવચનોમાં લોકો એટલે જ સુતા કે બગાસાખાતા જોવા મળે છે. ઘણીવાર ટ્રાંક્વેલાઈઝર કામ ન કરે તે કામ પ્રવચનો કરી દે છે.
    શ્રી જે. ક્રિષ્ણમૂર્તિ, સાંભળવાને ‘આર્ટ ઓફ લીશેનીંગ” કહેતાં. આ આર્ટ ઓફ લીશનીંગ એટલે શું? આપણે જ્યારે સાંભળીયે ત્યારે ભિતર કોઈ વિચારો, કોલાહલ, કમ્પેરીઝન, મોનોલોગ્સ ન રહે તો અસલમાં શ્રવણ કરી શકાય અને તો ખરા અર્થમાં શ્રાવક કે શ્રાવિકા બની શકાય.
    અષાઢી શ્રાવણને આપણે ત્યાં ગુરુપૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. એકવાર ગુરુ ધારણ કરીએ પછી અંતરયાત્રા શરુ થાય છે. એક સધારણ શિક્ષક વગર જો ભણતર (બહારનુ જ્ઞાન)પણ શક્ય નથી તો ગુરુ વગર અંતરજ્ઞાન કેમ સંભવ બને? તેથી જ આપણે ત્યાં ગુરુની મહિમા છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુ ધારણ કર્યા પછી અંતર યાત્રા શરુ થાય અને ધીરે ધીરે આ અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા સંભવ બને.
    આજે શ્રાવણ મહિનાની પુનમ છે. આજે સુર્ય અને ચંદ્ર બન્ને સામ સામા આવી ગયા. સુર્ય પ્રતિક છે કોન્સીયસ એનર્જી (ચૈતન્ય)નુ અને ચંદ્ર પ્રતિક છે અવેરનેસ એનર્જીનુ (ચિત્ત), હવે સુર્યનો પ્રકાશ પૂર્ણતયા ચંદ્ર પર પડે છે અને ચંદ્ર સોળે કળાએ ખિલેલો જોવા મળે છે.બન્ને દર્પણ સામ સામા. હવે તેની વચ્ચે જે કોઈ ઓબ્જેક્ટ આવે તેનુ પ્રતિબિંબ અનંત બનશે.
    નરસિંહ મહેતા કાવ્યાત્મક ભાષામાં તેને કહે,” ચિત્ત(ચંદ્ર) ચૈતન્ય(સુર્ય) તદરુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”
    આજનો આ દિવસ બ્રાહ્મણો માટે મહત્વનો છે.બ્રાહ્મણો જનોઈ ધારણ કરે ત્યારે ચોટલીને ગાંઠ વાળે (સંકલ્પના પ્રતિક તરીકે) અને જીવ, શીવ તરફની યાત્રા માટે સંકલ્પ કરે. સાથે સાથે જનોઈ ધારણ કરે. આખા વર્ષ દરમ્યાન જો જીવનુ શિવમાં રુપાંતરણ ન થયું હોય તો વળી નવા વરસે ફરી સાધનામાં લાગે અને તેના પ્રતિકરુપે જનોઈ બદલાવે.
    મછવારાઓ આજના દિવસે નૌકાપૂજન કરે ને પોતાની નાવ સાગરમાં તરતી મૂકે. સાથે સાથે ભાવ કરે કે મારી જીવનનાવ ભવસાગરને પણ
    પાર કરે તેવી શક્તિ આપજે.
    આજે બહેન ભાઈને રક્ષા બાંધે અને ભાવ કરે કે હે, “પ્રભુ, મારી અને મારા ભાઈની તું રક્ષા કરજે.કાજળની કોટડીમાં રહીએ પણ કાજળથી રક્ષજે એનો ડાઘ મને ન લાગે” શ્રાવણી પુનમ આપણા સૌના જીવનમાં
    અજવાળું પાથરે તેવી પ્રાર્થના.
    હવે કાલથી કૃષ્ણપક્ષ શરુ થશે. હવે શરુ થશે ચિત્તની (જીવની) ઓગળવાની પ્રક્રિયા અને અમાસના દિવસે તે સંપૂર્ણરુપ ઓગળી જશે.હવે જીવનુ અલગ અસ્તિત્વ ન રહ્યું.
    હવે એક ઓમકાર સતનામ.

    Liked by 2 people

  6. શરદભાઇ, તમે લખેલ લેખ એક આખો જુદો જ વિષય છે અને એમાં વ્યક્ત થયેલા વિચારો પણ વિશદ ચર્ચા માંગી લે તેમ છે. મારા પોતાના વિચારો થોડા જુદા એ રીતે પડે છે કે, દરેક દિવસને, મહિનાને તેની ઓળખ માટે, તાત્વિક કારણોનુસાર નામો ભલે જુદા જુદા આપેલ છે. પણ પ્રત્યેક દિવસ અમૂલ્ય છે. હાલ પૂરતું આપનો લેખ એક જુદા ફોલ્ડરમાં સચવાશે. તેની વધુ વાતો,ચર્ચા વગેરે અનુકૂળતાએ ખોલીશું, ચર્ચીશું.અને આપના જ્ઞાનનો લાભ મેળવીશુ.
    ખૂબ ખૂબ આભાર.

    Liked by 1 person

  7. દેવિકાબેન,
    આપના પત્રનો વિષય સમય, ખૂબ ગમ્યો, અને શ્રી શરદ્ભાઇના સમય વિષેના વિચરોએ મને વિચારમાં મુકી દીધી, આધ્યાત્મિક પુષ્તકોમાં Time and space નો વારંવાર ઉલ્લેખ થાય છે.દેવિકાબેન તમારી વાત સાચી છે, આ બહુ ગહન વિષ્ય છે.

    Liked by 1 person

  8. Tahevar na manaso chhiye., jya jaiyee tya ujavay., khotu su chhe? Birthday wish su chhe.,
    Well, US ma avata parents senior citizen kayvay chhe, amna agman ne dinner diplomacy ma ujavay chhe., garaj na drink, parents group ma gothvay ne chhokara week end joy n joy kare tema khush., wait till chhokara return call ape., snne child, manunio sleep over ms., navu navu., pan senior ne chup rahetacshikhave chhe stay., joya karvanu., chup raheva nu., chadda , T shirt , anne dress paheravana., PR thsya te pati gaya., ghar ma block., drive karay nahi ne bus ma tevavay nahi., hs., codmetic vsparvs ni chhut., anne Shitra satam no tehvar ni vat thsyee, to ZPR kahe roj savare Shtra satam j chhe.,
    Buss., tahrvaro na namm per nsak na chdhsvaso., Devikaji n Ninaji.,
    Lakh lubhaye., nahel paraye , Appna ghar Fir appna ggar hai.,
    Await ur answer on., amari duniya., Tamari duniya kem?., Amaru chhe ye amnu kharu., pann ammnu chhe ye ammaru kem nahi., thik chhe chup rahta n react nahi karava ma j life Ahead tski rshe chhe., ha., next visit ma list oramane leta avajo.,

    Like

  9. આટલા બધા વિદ્વાનો આ વિષય પર આટલું બધું સરસ લખી ગયા. હવે મારા જેવો એક વાંચક શું કહે ?
    સંગીતાબેનના કહેવા પ્રમાણે આ ટાઇમલેસ છે.
    નવીન બેન્કર

    Liked by 1 person

  10. દેવિકાબેન,
    નયનાબેન અને આપે , આપણા શાસ્ત્રોની વાતો પર પ્રકાશ પાડ્યો છે,
    તેમાં હુ ઉમેરુ, સમુદ્ર મંથન, શીવજીનુ વિષપાન, સતી સાવિત્રી યમરાજની પાછળ જઈને પતિનો જીવ પાછો લાવે છે, દ્રૌપદી વસ્ત્ર હરણ, પાંડવોનુ સદેહે સ્વર્ગ તરફ ગમન.
    આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ચાર વેદ,અઢાર ઉપનિષદ, અઢાર પુરાણ આ બધા શાસ્ત્રોને સમજાવવા માટે ખાસ કરીને પુરાણ સમજાવવા માટે કથાની અંદર જે દ્રષ્ટાંત આપ્યા છે જે સામાન્ય માનવી સહેલાઈથી સમજી શકે. પરંતુ એ દ્રષ્ટાંતો પણ એક કોયડા સમાન છે , કેટલુ બધુ કનફ્યુજન ! જે આપણુ મન માનવા તૈયાર હોય જ નહી.દરેક પ્રસંગ આપણી બુધ્ધિથી તર્ક વિતર્ક કરીને તેનો મર્મ સમજવાનો પ્રયત્ન કરવો પડે. દરેક પ્રસંગની પાછળ રહસ્ય છુપાયેલુ હોય તે આપણે સમજવુ પડે. કથાકારો કથા કરે પરંતુ ચિંતન, તેનો ભાવાર્થ ક્યારેય નહી સમજાવે.

    Liked by 2 people

    • હમણાં જ જન્માષ્ટમીનો તહેવાર ગયો. જન્માષ્ટમી કોઈના માટે જુગાર રમવાનો દિવસ છે, કોઈને માટે ઉપવાસનો, તો કોઈને માટે મટકી ફોડનો, કોઈને માટે રાધા-કૃષ્ણના મંદિરે જઈ દર્શન કે પ્રસાદનો લાભ લેવાનો, તો કોઈને માટે રાત્રે ૧૨વાગે કૃષ્ણ જન્મ નિમિત્તે નાચ ગાન, ભજન કિર્તન કરવાનો, તો કોઈને માટે કૃષ્ણને એક કોન્સીયસનેસ રુપે હૃદયમાં વસેલ છે તેની પ્રતિતિ કરવાનો. જેનુ જેવું લેવલ ઓફ બીઈંગ છે તે પરમાણે તે દુનિયાને અને ચારેબાજુ બનતી ઘટનાને મુલવે છે અને તેવા ભાવોથી ભરાય છે.

      Liked by 1 person

  11. ગ્ણપતિજીના તુટેલા દાંતની સમજણ એવી વાંચી હતી કે તુટેલો દાંત બુધ્ધિનો અને આખો દાંત શ્રધ્ધાનો-એટલે કે જ્યાં બુધ્ધિ અટકે ત્યાંથી શ્રધ્ધા શરુ થાય. પરંતુ મારી વાતમાં થોડું ઊંધુ થયું છે દેવિકાબનની જેમ મને પણ નાનપણમાં ઘણા પ્રશ્નો હતાં-જેમકે ભગવાનની પૂજામાં નાળિયેર જ કેમ-રીંગણ કેમ નહીં, કૃષ્ણને કેટલી બધી રાણીઓ અને કોલેજમાં હતાં ત્યારે ઘરેથી આપણને કહેવામાં આવતું કે છોકરાઓ સાથે મર્યાદામાં રહીને ભળવાનું! પ્રશ્નોના જવાબ ન મળ્યા પછી શ્રધ્ધાથી થોડો વખત કર્યું પરંતુ પેલા મનમાં મુંઝવતા પ્રશ્નોએ એનો સાચો અર્થ શોધવા મજ્બૂ કરી અને પછી બુધ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કર્યો.
    અભિપ્રાયો વાંચવાની મઝા આવે છે.
    આભાર
    નીના

    Liked by 1 person

    • નયનાબેન,
      કોઈની કરેલી વ્યાખ્યાઓ બહિરયાત્રામાં તો કામ લાગે છે અંતરયાત્રામાં કામ નથી લાગતી. બહિર જગતના રહસ્યો અને નિયમો શોધવાનુ કામ વિજ્ઞાનનુ છે અથવા તો કહો બહિર જગતના નિયમોને વિજ્ઞાન કહે છે. એકવાર ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો પછી આપણે તે શોધવાની જરુર નથી પરંતુ અંતર જગતના નિયમોનુ જે વિજ્ઞાન છે તેને ધર્મ કહે છે. અંતરજગતના નિયમો એકવાર શોધાયા પછી તે માની લેવું પુરતું નથી. દરેક વ્યક્તિએ તે નિયમોને જાત અનુભવથી જાણવા પડે છે, જીવવા પડે છે.વિજ્ઞાન અને ધર્મમાં આટલો ભેદ છે કારણકે બન્નેના ડાયમેન્શન અલગ છે.
      કૃષ્ણએ આજથી ૫૦૦૦ વર્ષ પહેલા એક નિયમ શોધ્યો,” કર્મણ્યવાધી કારસ્તે મા ફલેષુ કદાચન” અને આપણે તે નિયમને દોહરાવીએ તેથી કૃષ્ણની સ્થિતીએ નથી પહોંચાતું. નહીં તો મહાવીર, બુધ્ધ, કબીર કે ક્રાઈસ્ટે કાંઈ કરવાનુ રહેતું જ ન હતું. તેઓએ એટલું જ કહેવાની જરુર હતી, ” ડિટ્ટો” . (જે કૃષ્ણએ કહ્યું તે.)અને ન તો આપણે કાંઈ કરવાની જરુર રહેતી. પણ એવું નથી. ધર્મમાં દરેક વ્યક્તિએ પોતે ઊતરવું પડે જાતે શોધવું પડે છે અને તે જ ધર્મની ગરિમા છે. તેથી જ ધર્મનુ મુલ્ય છે.
      ધર્મમાં કોઈ રેડિમેઈડ ઉત્તરો હોતા નથી. ઈશ્વર છે કે નથી? આ દુનિયાનુ સર્જન કોણે કર્યું? પુનર્જન્મ છે કે નહી? આત્મા જેવું કાંઈ છે કે નહી? આ કે આવા અનેક ભિતર ઊઠતા પ્રશ્નોના જવાબ કોઈ શાસ્ત્રોમાં શોધવા ગયા તો ગુંચવણોનો પાર નહી રહે. ધર્મની કિતાબ કોઈ ગણિતની કિતાબ નથી કે જેના પાછલા પાને લખેલા જવાબો ગોખી જઈ જબાબ આપી શકાય. દરેકે જીંદગીનો દખલો જાતે ગણવો પડે છે. અને જેટલીવાર દાખલો આપણે ખોટો ગણીએ કે રેડિમેઈડ જવાબો આપીએ ત્યાં સુધી દેહ મળ્યા જ કરે આ અંતરજગતનો નિયમ છે. આવા નિયમોનુ નામ ધર્મ છે જે જીવી તો શકાય છે વ્યાખ્યાયિત નથી કરી શકાતું.
      બીજું આપે લખ્યું છે બુધ્ધી જ્યાં અટકે ત્યાંથી શ્રધાનો જન્મ થાય છે. અટકી જતી બુધ્ધીતો બિમારીનુ પ્રતિક છે. બુધ્ધી જ્યાં વિરમી જાય કે શાંત થઈ જાય ત્યાં શ્રધ્ધાનો જન્મ થાય છે તેવો મારો અનુભવ છે.

      Liked by 2 people

  12. “આજે ખબર નથી કેમ પ્રાકૃત અવસ્થામાં જંગલમાં ભટકતા આદિમાનવથી માંડીને (ઈતિહાસમાં વાંચેલા) આજના અતિબૌધ્ધિક સ્તરે પહોંચેલા માનવીના ક્રમિક ફેરફાર વિશે મન વિચારે ચડ્યું છે. અંતે તો સમયને સલામ ભર્યા સિવાય કશું જ હાથ લાગતું નથી”
    So true !!!!!

    Liked by 1 person

Leave a comment