સાંજવેળા

માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” કાવ્યસ્પર્ધામાં ૧૬૬માંથી પ્રથમ દસમાં સ્થાન પામેલ  ગઝલ

( છંદ હજઝ-૨૮ )

વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સૂરજને  જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને  મૄત્યુના રૂપક તરીકે લીધા છે.

————————————————————————————————

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;

જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.
 

હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,

જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
 

હવે મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,

જરા થોભી, ફરી ખોલું હતી બારી જે ઝગમગતી..
 

અહો કેવી મધુરી સ્‍હેલ આ સંસારસાગરની,

જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
 

કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,

જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

દેવિકા રાહુલ ધ્રુવ…

 

છંદવિધાન -હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

22 thoughts on “સાંજવેળા

  1. દેવિકાબહેન, અભિનંદન! કદાચ આપે પહેલી જ વાર છંદબદ્ધ લખ્યું છે. (મારી ભૂલ થતી હોય તો જણાવજો) પણ વાંચીને એમ ના લાગ્યું.

    આખી રચના સરસ છે, પણ આ શેર મને ખાસ ગમી ગયો:

    અહો કેવી મધુરી સહેલ આ સંસારસાગરની,
    જરા થોભો અરે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

    Like

  2. હેમંતભાઇની વાત સાચી છે.છંદમાં પગરણ માંડ્યા છે.જો કે ગયા મહિને ” અધૂરૂં કથન” અક્ષરમેળ છંદમાં લખ્યું હતું.. રઇશ મણિયારનું પૂસ્તક “ગઝલનું છંદોવિધાન”, પ્રો.સુમન અજમેરી્નું “ગઝલઃ સંરચના અને છંદ-વિધાન” અને જુ.કાકાના બ્લોગની સહાયથી શીખી રહી છું.તમારા જેવાના પ્રતિભાવથી “છંદ”ની લગનીને ઘણું બળ મળે છે.ખુબ આભાર.તમારું, વિવેકભાઇ,પંચમભાઇ,મહેશભાઇ ઉર્મિ વગેરેનું ગઝલ-વાંચન પણ ઉપકારક બની રહે છે.સૌનો આભાર.

    Like

  3. સલોની આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
    જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી.

    અહો કેવી મધુરી સહેલ આ સંસારસાગરની,
    જરા થોભો અરે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

    વાહ દેવિકાબેન, બહુ સરસ. છંદને લીધે સોનામાં સુગંધ ભળી. … તમારી આગામી રચનાઓનો ઈંતજાર રહેશે.

    Like

  4. પિંગબેક: સાંજવેળા (via ) « નિવૃત્તિ ની પ્રવૃત્તિ

  5. શ્રી દેવિકાબહેન,
    સુંદર વાત કરી, વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલાઓને પણ ઘણું ઘણું કરવાની તમન્ના હોય છે અને તે કરી છુટવા માટે તેઓ સતત પ્રયત્નશીલ પણ રહે છે.

    સલોની આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
    જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી

    અને એટલે જ તે સુરજ ને થોભી જવાનું કહે છે કે જેથી દિવસને (જીવનને) સમગ્રપણાથી માણી શકાય.

    કવિતા.

    Like

  6. વાહ, સરસ.ખરેખર આવુ થતુ હોય છે, માટેજ પહેલેથી જાગી જવુ જોઈએ, બરાબર?
    સ્રરસ કવિતા. છંદબદ્ધ કરવુ કેટલુ અઘરુ છે! કલ્પના સારી છે.
    પણ સમય કોઈના માટે થોભતો નથી

    Like

  7. સ-રસ છંદને અનુસરવાનો સુંદર પ્રયત્ન ભાવ અને અભિવ્યક્તિ બન્નેને ઉપયોગી નિવડ્યો છે દેવિકાબેન….
    સુ ને બદલે સૂ લઈને સૂરજ કરી લેશો,અને સવ્વાર ને સુધારી, સવાર.
    સખત અને સતત મહેનત આગળ-ઉપર અવશ્ય રંગ લાવે લાવે અને લાવે જ.
    અને એ વિષયમાં હું ક્યાંય પણ ઉપયોગી થઈ શકીશ તો સહુથી વધુ આનંદ મને થશે.
    અભિનંદન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s