હજી આજે પણ ઘણાંને મનમાં સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ?આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી” તો આવી જ એક કલ્પનાને આધારે રચાયેલા બે ગીત આપ સૌની સમક્ષ સહર્ષ….
પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ ?!!
પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સરજીને ખેલત, હું માખણની મટકી !
પૂછે કાં રાધા, નિકટથી કાનાને, ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?
પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!
પૂછ મા અંતરની રાણી, આ અળવીતરું કાનમાં,
અગર જો દિલ તુજ, જાણે ના જવાબ,
જા કહી દઉં છું એવું , ના ચાહે આ શ્યામ !!
પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું ફરીથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!
Devikaben your Kana JAWAB is very nice !
You read my “imagination” with my comment for the LAST POST….one can read that if interested !….some mistakes in typing, please ignore !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Waiting for your visit to Chandrapukar !
LikeLike
The Readers may NOT wish to go to the OLD Post & read my Comment….So I made the corrections & ADDED some lines at the end & this is what I say>>>>
તો, કાનો કહે>>>>
રાધા શ્યામ હોય કે ના, મને તો મારી રાધા ગમે !
ના મથુરામાં એકલો રહું જો ના મળે મારી ગોપીઓ કે ગાયો,
ના વાંસળીએ છિદ્રો, તો છિદ્રો પાડી મુકું મારા સૂરો,
હોય મોરપીંછ પીળું તો પણ રહે મુજને વ્હાલું !
સાચુ કહું રાધા તારા વગર, આ કાનને જીવવું બને અઘરૂં ,
યાદ છે છોડી હતી લક્ષ્મી, અને અનેક રાણી,
શાને સતાવે કાનોમાં કહી, ઓ મારી પ્યારી !
આવ, આવ, ઓ રાધા મારી, ઓ રાધા મારી,
મુજ અંતરમાં બેસી, કરવા દે પ્રેમ-લીલા મારી !
>>>>ચંદ્રવદન
LikeLike
મને મનમાં હતુ કે છેલ્લે એકાકાર થવાની વાત આવશે ક્રુષ્ણ રાધાને પોતાનામાં સમાવી લેવાની વાત કરશે …ચલો મારો મન ગમતો વિચાર આપની રચનામાં આવ્યો તે ગમ્યુ ,,,ખુબ ખુબ અભિનંદન બહેનજી….બહુ જ સરસ રચના
LikeLike
ખુબજ સારી રચના.
અભિનંદન
‘દાદીમાની પોટલી’
http://das.desais.net
એક વખત જરૂરથી અમારાં બ્લોગની મુલાકાત લેશો.
LikeLike
વાહ!
ખુબ સરસ
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!
LikeLike
અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી”
શ્રી સુરેશભાઇ દલાલના આ કથન જેવુ બીજુ ક્રુષ્ણ માટે કોઇ કથન નથી..
ખરેખર કૃષ્ણ એક અદભૂત ઘટના કે કલ્પના છે જેમાં આજે પણ રાધા અને ગોપી જેટલુ જ રાચવુ ગમે છે.
દેવિકાબેન તમારી રાધા અને કૃષ્ણના એકાકાર થવાને કલ્પના પણ એટલી જ સુંદર છે.
LikeLike
“અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી” — સુરેશ દલાલ
“શ્રી સુરેશભાઇ દલાલના આ કથન જેવુ બીજુ ક્રુષ્ણ માટે કોઇ કથન નથી..” — રાજુલબહેન
રાજુલબહેનઃ શ્રી રામકૃષ્ણ પરમહંસનું રાધા માટે (ભક્તિભાવભર્યું) કથન છે. (એ કથન કૃષ્ણને પણ લાગુ પડે). શ્રી શ્રી રાધાકૃષ્ણની કૃપાથી http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આ વિશે લખીશ. સૌને બ્લોગની મુલાકાત લેતા રહેવાની વિનંતી.
LikeLike
પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અણગમતું કાનમાં,
khub sunder rachna..enjoyed..
LikeLike
પ્રેમ ગલી એટલી સાંકડી કે એમાં બે જણ નાં સમાય.મીરાબાઈ નું આ વચન કવિતામાં ખુબ મહોરી ઉઠ્યું છે.
LikeLike
રાધાના પ્રશ્નો જેટલા સરસ હતા એટલા જ કૃષ્ણના જવાબો પણ સરસ છે. આપની કલમે આ બંન્ને ભાવસભર ગીતો ઉતર્યા તે બદલ અભિનંદન.
LikeLike
khub saras rachna chhe. avi rachna saday pirasta raho ane sahitya ni seva karta raho ej abhilasha
LikeLike
haju saval karu te pahela taro kanano sundear javab mali gayo good answer;;;;;;;;;;;;;
LikeLike
સુંદર કલ્પના ગીત…..
ગીતમાં શું બંધારણ જાળવવાનું હોય છે એ ઉંડાણની ગઝલના છંદ જેવી અને જેટલી જાણકારી તો નથી પણ લય તો બન્નેમાં અનિવાર્ય આવશ્યક્તા છે એટલી સમજ કેળવાઈ છે…!
અહીં અભિવ્યક્તિ અને ભાવ બન્ને સરસ જણાય છે.
-અભિનંદન.
LikeLike
રાધા કલ્પના છે કે રાધા ખરેખર હતાં? (આવો પ્રશ્ન કૃષ્ણ માટે પણ પૂછી શકાય.) આનો જવાબ વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરેલા ‘રાધા અને કૃષ્ણ વિશે (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ લખાણમાં.
અને ‘પીતપીંછ’ — એ વળી શું? એના વિશે પણ ઉપરના લખાણમાં વાંચો.
અને આપના પ્રતિભાવ આપવા વિનંતી.
LikeLike
Ati sunder.
LikeLike
દેવિકાબેન
શ્યામ સાથે તન મન ધનથી રહે તે શ્યામના રંગમા રંગાય,એક ભજન યાદ આવે છે
શ્યામ રંગ સમિપે ન જાવુ મારે આજ થકી ફરિયાદ કરે ને શ્યામ સામે જ જાઇ!
LikeLike
શ્રી દેવિકાબહેન,
સુંદર ભાવગીત છે.
અહીં ૩ પ્રશ્નોની કડી (ઘણા લોકો ભૂલથી કળી લખતા હોય છે) અને ૩ ઉત્તરોની કડીઓ છે. ચોથી કડી ઉત્તરની કડી હોય તો તેમાં થોડો ફેરફાર કરવો જોઈએ.
પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!
કાઈક આ રીતે…
પૂછ ના, પૂછ “હ્રદયેશ્વરી”,”મુજ સંગીની”, તું ફરીથી કાનમાં,
અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર..
LikeLike
સુંદર ભાવો … મહેશભાઈ સાથે સંમત કે ગીતનું બંધારણ હોય તો રચના વધુ મ્હોરી ઉઠે. જો તમે આ ગીત તમારા અવાજમાં પઠન કરી મૂકો તો તમને પણ લાભ થશે અને વાચકોને પણ. પઠનથી રચનાના બંધારણમાં જે જે ખામી કે ખૂબીઓ હોય તે જોવાનો આપણને મોકો મળે. આ સુચન હકારાત્મક રીતે લેશો અને સર્જનપ્રક્રિયા ચાલુ રાખશો. શુભેચ્છાઓ.
LikeLike
પિંગબેક: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો ! « ચંદ્ર પુકાર