આજના સમાજ-દર્શનને પ્રતિબિંબિત કરતી નિરંજન ભગતની અર્થસભર પંક્તિને આધારે…
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’—-નિરંજન ભગત
ફરી એક વાર પ્રસ્તૂત છે “કયામત”…
ગઝલ-છંદવિધાન -હજઝ ૨૮
( લગાગાગા-૪ આવર્તનો )
ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.
રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો ફેંકવા સ્હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.
જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.
ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા રે’નારના ભવભવ સલામત છે.
પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?
પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.
સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે, આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.