ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.
પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.
ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.
સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને,
મુમતાઝ થઇ ઉભી કદી તાજ જુએ તો કેવું સારુ.
માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
May 26, 2009 at 1:09 pm |
vah vaha
last stanza superb
May 26, 2009 at 1:18 pm |
માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
very nice!
May 28, 2009 at 2:47 am |
ghani saras kalpanao
May 30, 2009 at 3:43 am |
saras rachana thai 6e abhinandan!! keep it up & up
May 31, 2009 at 9:20 am |
ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.
Bahu j Saras.
June 6, 2009 at 3:46 pm |
I started copying the lines I liked in this poem and realized I will be copying the whole poem here.
Very nice!
June 8, 2009 at 3:38 pm |
સરસ વાત.
June 26, 2009 at 2:04 am |
KHUB J SARAS RACHANA.
August 17, 2009 at 6:36 pm |
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું
thanks.