રાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,
વ્હેતા આંસુને લઇ વાળી;
વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,
અંધારી રાત સૂની ગાળી.
જઇજઇને આવતો રોજ રોજ પાછો,
ઉષાનો પાલવ નીખારી;
તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,
આલમને રાખે અજવાળી.
રંગબેરંગના ચિત્રો દોરીને પછી,
સંધ્યાને ઘેનમાં ઝુલાવી;
ગમની ક્ષિતિજમાં સરકી પડીને,
નભ-સંસારે રમતો વૈરાગી;
લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,
એક અનાસક્તિની વાત પાકી.
******************************************************************
દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.
********************************************************************
April 20, 2009 at 11:51 am |
yes, do all your karma with no asakti i. e. attachment
April 21, 2009 at 3:58 am |
રાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,
વ્હેતા આંસુને લઇ વાળી;
વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,
અંધારી રાત સૂની ગાળી.
Superb.
May 5, 2009 at 11:55 am |
Prakruti ane Prabhu tamara manma ane jivanma chhavayela chhe e tamari kavitama ubhray chhe.