ગઝલકાર આદિલભાઇ મનસુરીને….

ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને,

         ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;

કસબી ગઝલના આદિલજીને,

        શુભેચ્છાઓ દે છે દિલની આજે.

સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને,

       શબ્દ મૌનની ધૂમ મચાવે;

ધૂળ માથે લઇ ફરે વતનને,

        પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.

વિરલ અગ્રણી આ ગઝલકારને,

         શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે;

ગઝલ-સમ્રાટના શુભ જન્મ-દિને,

        મુબારકબાદી હજાર હાથે.

———————————————————————

  છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.

“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”

One Response to “ગઝલકાર આદિલભાઇ મનસુરીને….”

  1. kapil Says:

    Very good style of geet

Leave a Reply