ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને,
ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;
કસબી ગઝલના આદિલજીને,
શુભેચ્છાઓ દે છે દિલની આજે.
સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને,
શબ્દ મૌનની ધૂમ મચાવે;
ધૂળ માથે લઇ ફરે વતનને,
પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.
વિરલ અગ્રણી આ ગઝલકારને,
શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે;
ગઝલ-સમ્રાટના શુભ જન્મ-દિને,
મુબારકબાદી હજાર હાથે.
———————————————————————
છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.
“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”
May 31, 2007 at 12:31 pm |
Very good style of geet